દરરોજ ડ્રાયરના ઉપયોગના કારણે વાળ થઈ ગયા છે ડેમેજ? અપનાવો આ ઘરગથ્થુ ઉપાય, હેર બનશે સિલ્કી અને શાઈની

દરરોજ ડ્રાયરના ઉપયોગના કારણે વાળ થઈ ગયા છે ડેમેજ? અપનાવો આ ઘરગથ્થુ ઉપાય, હેર બનશે સિલ્કી અને શાઈની

આજ કાલ લોકો વાળને લઈને ઘણા એક્સપેરિમેન્ટ કરે છે. જેની અસર વાળ પર પડે છે. મોટાભાગના લોકો તેમના વાળને વોલ્યુમ આપવા, સ્ટાઇલ કરવા અને સૂકવવા માટે ઇલેક્ટ્રોનિક્સ કે ડ્રાયરનો ઉપયોગ કરે છે. જેના કારણે વાળ શુષ્ક થઈ જાય છે.

એવામાં જો તમારા વાળ ડેમેજ થઈ ગયા છે. તો તમારે તેમની ખાસ કાળજી લેવી જોઈએ. એવામાં તમે ડેમેજ હેરને સુધારવા માટે કેટલાક ઉપાયો અપનાવી શકો છો. ચાલો અમે તમને જણાવીએ કે ડ્રાય વાળને ઠીક કરવા માટે તમારે શું કરવું જોઈએ?

આ રીતે ડ્રાય વાળને કરો ઠીક


દહીં
દહીં વાળ માટે કન્ડિશનરનું કામ કરે છે. તે વાળને મુલાયમ અને ચમકદાર બનાવે છે અને ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર કરે છે. આ માટે દહીંમાં એક ચમચી મધ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને વાળમાં લગાવો. આમ કરવાથી તમારા વાળમાં ચમક આવશે.

એલોવેરા
વાળને પોષણ આપવાનો શ્રેષ્ઠ અને સરળ રસ્તો એલોવેરાનો ઉપયોગ છે. એલોવેરા આપણી ત્વચા અને વાળ બંને માટે ફાયદાકારક છે. વાળમાં તેનો ઉપયોગ કરવા માટે તમે એલોવેરાના તાજા પાંદડામાંથી તેનો રસ કાઢીને વાળમાં લગાવી શકો છો. આમ કરવાથી તમારા વાળમાં ચમક આવશે.

ઈંડુ
ડેમેજ વાળને પોષણ આપવા માટે તમે ઇંડાનો ઉપયોગ કરી શકો છો. ઈંડામાં પ્રોટીન હોય છે જે વાળના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. આ માટે અઠવાડિયામાં એકવાર વાળ પર એગ હેર માસ્ક જરૂર લગાવો.

Read more

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ભાર્ગવ ગોવિંદભાઈ રાઠોડ (ઉં.વ.21) આજે સવારે 10 વાગ્યા આસપાસ વાહન લઈને જતો હતો ત્યારે સરધાર ગામ પાસે અજાણ્યા ફોરવ્હીલ ચાલકે હડફેટે લેતા મા

By Gujaratnow
રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટના શીતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં ઓફિસમાં મહિલાને માર મારતા જૂન, 2025ના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મહિલાએ ધંધામાં ધ્યાન આપવાનું કહે

By Gujaratnow
'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

તાજેતરમાં આદિત્ય ધર નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'ધુરંધર'માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલો

By Gujaratnow