દરરોજ ડ્રાયરના ઉપયોગના કારણે વાળ થઈ ગયા છે ડેમેજ? અપનાવો આ ઘરગથ્થુ ઉપાય, હેર બનશે સિલ્કી અને શાઈની

દરરોજ ડ્રાયરના ઉપયોગના કારણે વાળ થઈ ગયા છે ડેમેજ? અપનાવો આ ઘરગથ્થુ ઉપાય, હેર બનશે સિલ્કી અને શાઈની

આજ કાલ લોકો વાળને લઈને ઘણા એક્સપેરિમેન્ટ કરે છે. જેની અસર વાળ પર પડે છે. મોટાભાગના લોકો તેમના વાળને વોલ્યુમ આપવા, સ્ટાઇલ કરવા અને સૂકવવા માટે ઇલેક્ટ્રોનિક્સ કે ડ્રાયરનો ઉપયોગ કરે છે. જેના કારણે વાળ શુષ્ક થઈ જાય છે.

એવામાં જો તમારા વાળ ડેમેજ થઈ ગયા છે. તો તમારે તેમની ખાસ કાળજી લેવી જોઈએ. એવામાં તમે ડેમેજ હેરને સુધારવા માટે કેટલાક ઉપાયો અપનાવી શકો છો. ચાલો અમે તમને જણાવીએ કે ડ્રાય વાળને ઠીક કરવા માટે તમારે શું કરવું જોઈએ?

આ રીતે ડ્રાય વાળને કરો ઠીક


દહીં
દહીં વાળ માટે કન્ડિશનરનું કામ કરે છે. તે વાળને મુલાયમ અને ચમકદાર બનાવે છે અને ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર કરે છે. આ માટે દહીંમાં એક ચમચી મધ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને વાળમાં લગાવો. આમ કરવાથી તમારા વાળમાં ચમક આવશે.

એલોવેરા
વાળને પોષણ આપવાનો શ્રેષ્ઠ અને સરળ રસ્તો એલોવેરાનો ઉપયોગ છે. એલોવેરા આપણી ત્વચા અને વાળ બંને માટે ફાયદાકારક છે. વાળમાં તેનો ઉપયોગ કરવા માટે તમે એલોવેરાના તાજા પાંદડામાંથી તેનો રસ કાઢીને વાળમાં લગાવી શકો છો. આમ કરવાથી તમારા વાળમાં ચમક આવશે.

ઈંડુ
ડેમેજ વાળને પોષણ આપવા માટે તમે ઇંડાનો ઉપયોગ કરી શકો છો. ઈંડામાં પ્રોટીન હોય છે જે વાળના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. આ માટે અઠવાડિયામાં એકવાર વાળ પર એગ હેર માસ્ક જરૂર લગાવો.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow