દ. કોરિયામાં શાંતિના નામે બાળકોની સ્વતંત્રતા પર પ્રતિબંધ

દ. કોરિયામાં શાંતિના નામે બાળકોની સ્વતંત્રતા પર પ્રતિબંધ

દક્ષિણ કોરિયા દુનિયામાં સૌથી ઓછો જન્મદર ધરાવતો દેશ છે. સરકાર મહિલાઓને વધુ બાળકો પેદા કરવા પ્રોત્સાહિત કરવા માટે 16 વર્ષમાં 16 લાખ કરોડ રૂપિયા ખર્ચી ચૂકી છે પરંતુ હાલનાં વર્ષોમાં ‘નો-કિડ્સ ઝોન’ ઝડપથી લોકપ્રિય બન્યા છે. આનો ઉદ્દેશ્ય પુખ્તોને શાંત વાતાવરણ આપવાનો છે. એકલા જેજુ ટાપુ પર આવા 80 વિસ્તારો છે, જ્યાં કાફે-રેસ્ટોરન્ટમાં બાળકોને પ્રવેશવાની મનાઈ છે. દેશભરમાં આવા ઝોનની સંખ્યા 500થી વધુ છે.

હેન્કૂક રિસર્ચના સરવે અનુસાર 2021માં 10માંથી 7 લોકો આવા ઝોનની તરફેણમાં હતા પરંતુ એવા સંકેતો છે કે અભિપ્રાય બદલાઈ રહ્યો છે. ઝોન સામેના વિરોધમાં વધારો થયો છે. યોંગ હાલમાં જ નેશનલ એસેમ્બલીની બેઠકમાં બે વર્ષના બાળક સાથે પહોંચી, જ્યાં બાળકોને મંજૂરી નથી. તેણીએ કહ્યું કે બાળકો સાથેનું રોજિંદું જીવન સરળ નથી. આપણા સમાજને એવા સમાજના રૂપમાં પુનર્જન્મ લેવો જોઈએ જ્યાં બાળકો પણ હોય.

જેજુ ટાપુના આવા ઝોનને ગેરકાયદેસર જાહેર કરવાના ઉદ્દેશ્યથી સંસદમાં બિલ પર ચર્ચા થઈ રહી છે. આવા ઝોનને બંધારણની ભાવના વિરુદ્ધ કહેવામાં આવી રહ્યા છે. કોરિયામાં પહેલાંથી જ ‘મૉમ-ચુંગ’ જેવા અપમાનજનક શબ્દ એવી મહિલાઓ માટે છે જે અન્યની અવગણના કરીને માત્ર તેમનાં બાળકોની જ કાળજી રાખે છે. આ પછી તો નો કિડ્સ ઝોનનું પૂર આવી ગયું. આને લોકોને બાળકો ન પેદા કરવા માટે પ્રોત્સાહિત કર્યાં.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow