ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિધ બેનરોની સાથે 'હાય રે ભાજપ હાય હાય', 'હાય રે ચૂંટણી પંચ હાય હાય' જેવા નારા લગાવી દેખાવો કર્યા હતા. આ તકે NSUI દ્વારા ચૂંટણીપંચ તટસ્થ ન હોવાનો અને ભાજપનાં ઈશારે કામ કરતું હોવાનો ગંભીર આરોપ લગાવાયો હતો. આ તકે NSUI અને કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને ભાજપ સરકારની સાથે ચૂંટણીપંચની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ચૂંટણીપંચની તરફેણ લોકશાહી માટે ખતરોઃ NSUI NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે,છેલ્લા ઘણા સમયથી એવું લાગી રહ્યું છે કે દેશનું ચૂંટણીપંચ ભાજપ પ્રેરિત થઈ ગયું છે. વિરોધ પક્ષના નેતા અને લોકસભાના સાંસદ રાહુલ ગાંધીએ તાજેતરમાં એક પત્રકાર પરિષદ યોજીને ચૂંટણીપંચની પોલ ખોલી હતી, જેનાથી સમગ્ર દેશમાં હડકંપ મચી ગઈ છે. જો દેશમાં સારી લોકશાહી જાળવવી હોય તો લોકશાહીનો સૌથી મજબૂત પાયો ગણાતું ચૂંટણીપંચ નિષ્પક્ષ રહેવું અત્યંત આવશ્યક છે. ચૂંટણીપંચ કોઈ ચોક્કસ પક્ષની તરફેણ કરશે, તો દેશની લોકશાહી ખતરામાં આવી જશે.

‘ચૂંટણીપંચ દ્વારા બોગસ મતદારોના નામ ઉમેરાયા’ વધુમાં તેમણે જણાવ્યું કે, ગઈકાલે વિરોધ પક્ષના તમામ સાંસદોએ ચૂંટણીપંચ પાસે મુલાકાત માટે સમય માંગ્યો હતો, પરંતુ ચૂંટણીપંચે તેમને મળવાનો ઇનકાર કરી દીધો હતો. તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચૂંટણીપંચ દ્વારા બોગસ મતદારોના નામ ઉમેરવામાં આવ્યા છે, જ્યારે સાચા મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે, જે લોકશાહી માટે ગંભીર ખતરો છે. આ કાર્યવાહીનો સખત શબ્દોમાં વિરોધ કરે છે અને દેશની લોકશાહીની સુરક્ષા માટે રાહુલ ગાંધી સાથે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow
એસ.ટી.ની નવી નકોર બસમાં ગંદકીના ગંજનો વીડિયો વાઈરલ

એસ.ટી.ની નવી નકોર બસમાં ગંદકીના ગંજનો વીડિયો વાઈરલ

આ છે રાજકોટ એસટી ડિવિઝનની એક્સપ્રેસ બસની બદતર હાલત. 30 જુલાઈના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 151 નવી એસ.ટી. બસોને લીલીઝંડી આપવા

By Gujaratnow