ક્રૂડ 43% સસ્તું, પેટ્રોલના ભાવ 5% પણ ઘટ્યા નથી

ક્રૂડ 43% સસ્તું, પેટ્રોલના ભાવ 5% પણ ઘટ્યા નથી

ક્રૂડની કિંમતોમાં શુક્રવારે ઘટાડો થયો હતો. હવે આંતરmરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલ બેરલદીઠ 79.61 ડૉલર થયું છે. અગાઉ 28 સપ્ટેમ્બર, 2021ના રોજ આ સ્તર હતું. આ જ વર્ષે 7 માર્ચના રોજ ક્રૂડ ઓઇલની કિંમત બેરલદીઠ 139.13 ડોલર સુધી પહોંચી હતી. એ રીતે જોઇએ તો અત્યાર સુધી ક્રૂડ 42.8% સસ્તું થયું છે.

બીજી તરફ, પેટ્રોલ-ડીઝલની કિંમત 5% પણ ઘટી નથી. સપ્ટેમ્બરમાં દિલ્હીમાં પેટ્રોલ 101 રૂ. પ્રતિ લિ. હતું, અત્યારે 97 રૂ./લિ. છે. વાસ્તવમાં, સપ્લાયને લઇને અનિશ્ચિતતા ઓછી થવાથી ક્રૂડ ઓઇલની માંગ ઘટવા લાગી છે. તેનાથી કિંમત પર અસર થઇ છે. હાલ દેશના વિવિધ ભાગોમાં પેટ્ોલના ભાવ પ્રતિ લિટર 92થી 100 રૂપિયા સુધી છે.

આ કારણસર કિંમત ઘટી રહી છે

  1. માંગને લઇને ચિંતા: મોંઘવારી અનેક દાયકાના ઉચ્ચ સ્તર પર પહોંચવાથી યુરોપ અને US જેવા વિકસિત દેશોએ વ્યાજદરો વધાર્યા છે. તેનાથી ક્રૂડ ઓઇલની માંગ ઘટવાની આશંકા છે.
  2. ચીનમાં અનિશ્ચિતતા: ચીનમાં કોરોનાના પ્રતિબંધોમાં છૂટ બાદ ત્યાં મોટા પાયે સંક્રમણ ફેલાવાની આશંકા છે. જેને કારણે ત્યાં ક્રૂડની માંગ ઘટવાની વકી છે.
  3. રશિયામાં સામાન્ય ઉત્પાદન: પશ્ચિમી દેશોએ રશિયન ક્રૂડ માટે 60 ડોલર/બેરલની ઉચ્ચ મૂલ્યમર્યાદા નક્કી કરી છે પરંતુ, રશિયન ઓઇલની નિકાસ અવરોધાય તેવી આશંકા નથી. ત્યાં તેનું સામાન્ય ઉત્પાદન છે. ભારત પણ રશિયા પાસેથી આ દરે ક્રુડ મેળવે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow