મોબ લિન્ચિંગનું જોખમ ધરાવતા દેશોમાં પાક. ટોચે

મોબ લિન્ચિંગનું જોખમ ધરાવતા દેશોમાં પાક. ટોચે

પાકિસ્તાનમાં રાજકીય સ્થિરતા, આર્થિક બેહાલી અને કટ્ટરપંથ તો ચરમ પર છે જ પણ તે દુનિયાનો એવો સૌથી બદતર દેશ પણ છે જ્યાં સામૂહિક હત્યા(લિન્ચિંગ) કરવાનું જોખમ સૌથી વધુ રહે છે. અર્લી વોર્નિંગ પ્રોજેક્ટના એક રિપોર્ટ મુજબ આ જોખમ આતંકી સંગઠન તાલિબાન સાથે સંકળાયેલાં સંગઠનોની હાજરીને કારણે પણ છે.

જ્યારે પાકિસ્તાનનું પાડોશી અને તાલિબાન શાસન હેઠળનું અફઘાનિસ્તાન આ યાદીમાં સાતમા ક્રમે છે. ત્યાં પણ તાલિબાનના શાસન બાદ મસ્જિદો અને અન્ય જાહેર સ્થળોએ હત્યાઓ વધી ગઈ છે. ખાસ કરીને ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધી છે પણ પાકિસ્તાનની તુલનાએ લિન્ચિંગની ઘટનાઓ ઓછી છે. રિસર્ચ સંગઠન અર્લી વોર્નિંગ પ્રોજેક્ટે તેના રિપોર્ટમાં કહ્યું છે કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન(ટીટીપી), ઈસ્લામિક સ્ટેટ(આઈએસ) અને સ્થાનિક સંગઠનોના કારણે પાક.માં ભીડવાળી હિંસા અને હુમલા વધી રહ્યા છે.

એવામાં અનેક સ્તરે સુરક્ષા અને માનવાધિકારના પડકારો ચરમ પર છે. રિપોર્ટમાં કહેવાયું છે કે પાક.માં ઈશનિંદા કાયદાની આડમાં આતંકી સંગઠન આઈએસ સતત હુમલાની ધમકી આપે છે. આ કારણે ધાર્મિક લઘુમતીઓને મોટા પાયે ભીડ તરીકે અપરાધીઓ દ્વારા નિશાન બનાવવાની ઘટનાઓ પાક.માં સૌથી વધુ બની છે. આ અભ્યાસ ટીટીપી દ્વારા પાક. સરકારની સાથે એક મહિના સુધી ચાલેલી યુદ્ધવિરામ સમજૂતી રદ કરવા અને હુમલા કરવાની જાહેરાત બાદ કરાયો હતો.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow