પાક. સરકાર-સેનાના નિશાના પર પીપીપી, નેતાઓ નો-ફ્લાય લિસ્ટમાં

પાક. સરકાર-સેનાના નિશાના પર પીપીપી, નેતાઓ નો-ફ્લાય લિસ્ટમાં

પાકિસ્તાનમાં તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાન બાદ હવે સત્તાધારી ગઠબંધનમાં સામેલ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના નેતાઓ સેનાના નિશાના પર આવી ગયા છે. પીએમ શાહબાઝની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) પણ સેનાને સાથ આપી રહી છે. પીપીપી દેશમાં સમયસર ચૂંટણી યોજવા માટે લાંબા સમયથી અવાજ ઉઠાવી રહી છે. તેમની આ માંગ સેનાના માટે અડચણરૂપ બની. જેના કારણે સેના પ્રમુખ અસીમ મુનીરને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાનમાં પીપીપીના નેતાઓને પણ ઝપટમાં લેવાની તક મળી છે. આ જ કારણ છે કે જે 100 લોકોનું નો-ફ્લાય લિસ્ટ જારી કરવામાં આવ્યું હતતું, તેમાં મોટા ભાગના પીપીપી સાથે જોડાયેલા લોકો છે. પીએમ શહેબાઝે કહ્યું કે નવાઝ 21 ઓક્ટોબરે દેશ પરત આવી શકે છે. જોકે આ તારીખ નક્કી નથી.

સેનામાંથી પીએલએલ-એનને હટાવવાની ઝરદારીની ચાલ નિષ્ફળ સાબિત થઈ
વિશ્લેષકોનું કહેવું છે કે 16 મહિનાથી સરકારમાં રહેલા પીપીપીના નેતા આસિફ અલી ઝરદારીએ બંધારણ મુજબ વિધાનસભા ભંગ થયાના 90 દિવસની અંદર ચૂંટણી કરાવવાની માગણી શરૂ કરી દીધી હતી. જ્યારે પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (પીએલએલ-એન) પહેલા દિવસથી જ સેનાની સાથે છે. પીપીપીએ સેનાને પીએમએલ-એનથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. નવેમ્બરમાં ચૂંટણીની માંગ કરીને સેના પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો. તેની વિપરીત અસર થઈ. પીએમએલ-એન સાથેના તેમના સંબંધો બગડ્યા. પીએમએલ-એન સેના સાથે જોડાયા.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow