ભારતીય કંપનીઓની આવકમાં 6-8%ના ઘટાડાનો ક્રિસિલનો અંદાજ

ભારતીય કંપનીઓની આવકમાં 6-8%ના ઘટાડાનો ક્રિસિલનો અંદાજ

ભારતીય કંપનીઓની આવકમાં એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન 6-8%નો ઘટાડો જોવા મળી શકે છે. સળંગ ચોથા ક્વાર્ટર દરમિયાન કંપનીઓની આવકમાં ઘટાડો જોવા મળી શકે છે તેવી શક્યતા રેટિંગ એજન્સી ક્રિસિલે વ્યક્ત કરી હતી. જો કે નફાકારકતાની દૃષ્ટિએ દેશની કંપનીઓનું માર્જિન ગત વર્ષના 19.6%થી વધીને 20%ની આસપાસ જોવા મળી શકે છે.

કોમોડિટીની કિંમતોમાં ઘટાડાને પગલે માર્જિનમાં સુધારો જોવા મળે તેવી શક્યતા છે. હાઇ બેઝને કારણે રેવેન્યૂ ગ્રોથમાં ઘટાડો જોવા મળશે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમા જોવા મળેલા રેવેન્યૂ ગ્રોથ કરતાં એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તેમાં 2%નો ઘટાડો જોવા મળશે. છેલ્લા આઠ ક્વાર્ટરમાં એવું પ્રથમવાર બનશે જ્યારે લિસ્ટેડ કંપનીઓના રેવેન્યૂ ગ્રોથમાં ક્રમિક ઘટાડો જોવા મળશે.

ફાઇનાન્સિયલ સર્વિસીઝ અને ઑઇલ-ગેસ સેક્ટર્સને બાદ કરતાં 47 સેકટર્સની 300 કંપનીઓના વિશ્લેષણમાં 14 સેક્ટર્સની આવકમાં ઘટાડો થશે જ્યારે 15 કંપનીઓ ધીમો ગ્રોથ નોંધાવશે તેવી શક્યતા છે. ધાતુ અને ઇન્ડસ્ટ્રીયલ કોમોડિટીની વૈશ્વિક સ્તરે નબળી માંગ રહી હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow