મૃતકના પરિવારને 15 લાખ 9% વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો હુકમ

મૃતકના પરિવારને 15 લાખ 9% વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો હુકમ

વીજકરંટથી સાત વર્ષ પૂર્વે શ્રમિકના થયેલા મોતના બનાવમાં સિવિલ કોર્ટના જજ એમ.એચ. શાહે પીજીવીસીએલ જ જવાબદાર હોવાની ટકોર સાથે મહત્ત્વનો ચુકાદો આપી પીજીવીસીએલને મૃતકના પરિવારજનોને રૂ.15 લાખ નવ ટકાના વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કર્યો છે. રાજકોટના મોટામવા, લક્ષ્મીના ઢોરા પાસે નવા બંધાઇ રહેલા મકાનમાં કડિયાકામ કરી રહેલા જયેશભાઇ નારણભાઇ બગડા નામના શ્રમિકનું 11 કે.વી.ની વીજલાઇનને અડી જતા જોરદાર કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું.

પીજીવીસીએલની બેદરકારીને કારણે શ્રમિકના મોત બાદ મૃતકની પત્ની સોનલબેને એડવોકેટ દેસાઇ મારફતે સિવિલ કોર્ટમાં પીજીવીસીએલ, રાજકોટ અને પશ્ચિમ ગુજરાત કં.લિ., બરોડા સામે દાવો દાખલ કર્યો હતો. એડવોકેટ દેસાઇએ ઉચ્ચ અદાલતોના વિવિધ ચુકાદાઓ સાથે રજૂઆતમાં મૃતક યુવાનનું મોત પીજીવીસીએલની બેદરકારીને કારણે થયું છે. રહેણાક મકાનની સાવ નજીકથી 11 કે.વી.ની ઇલેક્ટ્રિક લાઇનને ઉપર લઇ જવા કે દૂર કરવા માટે મકાનમાલિક તેમજ મોટામવા ગ્રામપંચાયતે પીજીવીસીએલને લેખિતમાં અરજી અને ફરિયાદ કરી હતી. તેમ છતાં કોઇ યોગ્ય કાર્યવાહી નહીં કરતા શ્રમિકનો ભોગ લેવાયાનું જણાવ્યું હતું.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow