મૃતકના પરિવારને 15 લાખ 9% વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો હુકમ

મૃતકના પરિવારને 15 લાખ 9% વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો હુકમ

વીજકરંટથી સાત વર્ષ પૂર્વે શ્રમિકના થયેલા મોતના બનાવમાં સિવિલ કોર્ટના જજ એમ.એચ. શાહે પીજીવીસીએલ જ જવાબદાર હોવાની ટકોર સાથે મહત્ત્વનો ચુકાદો આપી પીજીવીસીએલને મૃતકના પરિવારજનોને રૂ.15 લાખ નવ ટકાના વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કર્યો છે. રાજકોટના મોટામવા, લક્ષ્મીના ઢોરા પાસે નવા બંધાઇ રહેલા મકાનમાં કડિયાકામ કરી રહેલા જયેશભાઇ નારણભાઇ બગડા નામના શ્રમિકનું 11 કે.વી.ની વીજલાઇનને અડી જતા જોરદાર કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું.

પીજીવીસીએલની બેદરકારીને કારણે શ્રમિકના મોત બાદ મૃતકની પત્ની સોનલબેને એડવોકેટ દેસાઇ મારફતે સિવિલ કોર્ટમાં પીજીવીસીએલ, રાજકોટ અને પશ્ચિમ ગુજરાત કં.લિ., બરોડા સામે દાવો દાખલ કર્યો હતો. એડવોકેટ દેસાઇએ ઉચ્ચ અદાલતોના વિવિધ ચુકાદાઓ સાથે રજૂઆતમાં મૃતક યુવાનનું મોત પીજીવીસીએલની બેદરકારીને કારણે થયું છે. રહેણાક મકાનની સાવ નજીકથી 11 કે.વી.ની ઇલેક્ટ્રિક લાઇનને ઉપર લઇ જવા કે દૂર કરવા માટે મકાનમાલિક તેમજ મોટામવા ગ્રામપંચાયતે પીજીવીસીએલને લેખિતમાં અરજી અને ફરિયાદ કરી હતી. તેમ છતાં કોઇ યોગ્ય કાર્યવાહી નહીં કરતા શ્રમિકનો ભોગ લેવાયાનું જણાવ્યું હતું.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow