Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
📌 Rajkot

મૃતકના પરિવારને 15 લાખ 9% વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો હુકમ

Gujaratnow1 min read
મૃતકના પરિવારને 15 લાખ 9% વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો હુકમ

વીજકરંટથી સાત વર્ષ પૂર્વે શ્રમિકના થયેલા મોતના બનાવમાં સિવિલ કોર્ટના જજ એમ.એચ. શાહે પીજીવીસીએલ જ જવાબદાર હોવાની ટકોર સાથે મહત્ત્વનો ચુકાદો આપી પીજીવીસીએલને મૃતકના પરિવારજનોને રૂ.15 લાખ નવ ટકાના વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કર્યો છે. રાજકોટના મોટામવા, લક્ષ્મીના ઢોરા પાસે નવા બંધાઇ રહેલા મકાનમાં કડિયાકામ કરી રહેલા જયેશભાઇ નારણભાઇ બગડા નામના શ્રમિકનું 11 કે.વી.ની વીજલાઇનને અડી જતા જોરદાર કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું.

પીજીવીસીએલની બેદરકારીને કારણે શ્રમિકના મોત બાદ મૃતકની પત્ની સોનલબેને એડવોકેટ દેસાઇ મારફતે સિવિલ કોર્ટમાં પીજીવીસીએલ, રાજકોટ અને પશ્ચિમ ગુજરાત કં.લિ., બરોડા સામે દાવો દાખલ કર્યો હતો. એડવોકેટ દેસાઇએ ઉચ્ચ અદાલતોના વિવિધ ચુકાદાઓ સાથે રજૂઆતમાં મૃતક યુવાનનું મોત પીજીવીસીએલની બેદરકારીને કારણે થયું છે. રહેણાક મકાનની સાવ નજીકથી 11 કે.વી.ની ઇલેક્ટ્રિક લાઇનને ઉપર લઇ જવા કે દૂર કરવા માટે મકાનમાલિક તેમજ મોટામવા ગ્રામપંચાયતે પીજીવીસીએલને લેખિતમાં અરજી અને ફરિયાદ કરી હતી. તેમ છતાં કોઇ યોગ્ય કાર્યવાહી નહીં કરતા શ્રમિકનો ભોગ લેવાયાનું જણાવ્યું હતું.

Gujaratnow1 min read

Related News