બજારમાં ~500ની નકલી નોટો 14% વધી સામે ડિજિટલ વ્યવહાર પણ 19.61% વધ્યા

બજારમાં ~500ની નકલી નોટો 14% વધી સામે ડિજિટલ વ્યવહાર પણ 19.61% વધ્યા

દેશમાં સૌથી મોટા મૂલ્યની રૂપિયા 500ની નોટને લઈને આરબીઆઈએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. મંગળવારે જારી વાર્ષિક રિપોર્ટમાં બેન્કે કહ્યું છે કે, 2021-22માં 500ની 79,669 નકલી નોટ બેન્ક પાસે આવી હતી. 2022-23માં આ સંખ્યા વધીને 91,110 થઈ ગઈ. એટલે કે રૂ. 500ની નકલી નોટ વર્ષમાં 14.4% વધી ગઈ. તેનાથી વિપરીત હવે બંધ થઈ ચૂકેલી રૂ. બે હજારની નોટનું ચલણ આ દરમિયાન 27.9% ઘટી ગયું.

આ રિપોર્ટ પ્રમાણે, 2022-23 દરમિયાન નકલી નોટો ઘટી છે. 2022-23માં તમામ મૂલ્યની 2,25,769 નકલી નોટ મળી હતી, જ્યારે 2020-21માં 2,30,971 નોટ જ મળી હતી. હાલ દેશમાં રૂ. 500ની નોટનો હિસ્સો 37.9% છે.

આરબીઆઈએ કહ્યું છે કે, 2022-23માં દેશનો વિકાસદર 7% રહ્યો છે. આ જ ગતિ 2023-24માં જળવાઈ રહેશે તેવી આશા છે. આ કારણસર આરબીઆઈએ આ વર્ષે વિકાસદર 6.5% રહેવાની આશા વ્યક્ત કરી છે. આરબીઆઈના મતે, આગામી દિવસોમાં ખાદ્યાન્નની મોંઘવારી કાબૂમાં રહેશે. નિકાસ વધવાથી અને આયાતી ચીજવસ્તુઓની કિંમત ઘટવાથી ચાલુ ખાતાની ખાધ પણ ઘટશે. વૈશ્વિક પુરવઠા ચેઈનમાં પણ ભારતની ભાગીદારી વધશે. વિદેશી રોકાણકારો માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ રહી છે. તેનાથી સીધું વિદેશી રોકાણ વધશે. જોકે વૈશ્વિક અસ્થિરતાના કારણે વિદેશી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટમાં અસ્થિરતા જળવાઈ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow