ફરી એક વખત દસ્તક આપી રહ્યો છે કોરોના, તમારી સુરક્ષા માટે ઘરે જ ફોલો કરો આ ઘરગથ્થુ ઉપાય

ફરી એક વખત દસ્તક આપી રહ્યો છે કોરોના, તમારી સુરક્ષા માટે ઘરે જ ફોલો કરો આ ઘરગથ્થુ ઉપાય

કોરોના મહામારીએ ફરી એકવાર દસ્તક આપી છે. ચીનમાં કોરોના ફરી એકવાર તબાહી મચાવી રહ્યો છે.

મહામારી નિષ્ણાંત અને હેલ્થ ઈકોનોમિસ્ટ એરિક ફીગલ-ડિંગે કહ્યું કે ચીનમાં હોસ્પિટલો સંપૂર્ણ રીતે ભરાઈ ગઈ છે. તેમનો અંદાજ છે કે આગામી 90 દિવસમાં ચીનની 60 ટકાથી વધુ વસ્તી અને વિશ્વની 10 ટકા વસ્તી કોરોનાના આ નવા વેરિએન્ટથી સંક્રમિત થવાની સંભાવના છે.‌

આ સિવાય લાખો લોકોના મોતની પણ આશંકા છે. ચાલો જાણીએ કે ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ ભારતમાં કેટલું ખતરનાક છે અને કયા લક્ષણોનું ધ્યાન રાખવું જોઈએ.

શું છે નવા વેરિઅન્ટના લક્ષણો?
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે કોવિડ 19ના ઓમિક્રોનના સબ વેરિએન્ટ BA.5.2 અને BF.7 ઝડપથી ફેલાઈ રહ્યા છે. હેલ્થ એક્સપર્ટ્સ તેને બહુ ખતરનાક નથી માની રહ્યા, પરંતુ સાવધાન રહેવાની સલાહ આપી રહ્યા છે.

ડોક્ટરના કહેવા પ્રમાણે, આ વેરિએન્ટ્સથી સંક્રમિત દર્દીઓમાં ગળામાં ઈન્ફેક્શન, શરીરમાં દુખાવો, હળવો કે ખૂબ જ વધુ તાવ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.‌

આ ઘરગથ્થુ ઉપાયોથી કરો તમારી રક્ષા
દિલ્હીના વરિષ્ઠ ફિઝિશિયન ડૉ. કમલજીત સિંહ કૈંથ કહે છે કે કોરોનાના વધતા જોખમને ધ્યાનમાં રાખીને આપણે માસ્ક પહેરવાનું બિલકુલ ન ભૂલવું જોઈએ. જો તમે ઘરની બહાર નીકળો છો, તો માસ્ક અવશ્ય પહેરો.‌

આ સિવાય કોરોનાથી બચવાનો ઘરેલું ઉપાય એ છે કે તમારે તમારી ડાયેટ પર ધ્યાન આપવું જોઈએ. ડૉ. કમલજીત સિંહ કૈંથે જણાવ્યું કે તમારે તમારા આહારમાં ડુંગળી, લસણ અને લીંબુનો સમાવેશ કરવો જ જોઈએ. આ એન્ટી વાયરલ વસ્તુઓ તમારી રોગપ્રતિકારક શક્તિની રક્ષા કરે છે.‌

ડો.કમલજીત સિંહ કૈંથના જણાવ્યા અનુસાર, સ્વચ્છતાના પાલનની સાથે તમારા આહારમાં વિટામિન સી અને ઝિંકની માત્રામાં વધારો કરો. તમારી જાતને હાઇડ્રેટેડ રાખો. આ સિવાય કોઈપણ વસ્તુને સ્પર્શ કર્યા પછી તમારા હાથને બરાબર ધોઈ લો.

ન કરો ઉકાળાનું સેવન
ડૉ. કમલજીત સિંહ કૈંથ કહે છે કે સામાન્ય રીતે તેઓ લોકોને ઉકાળો ન પીવાની સલાહ આપે છે. તેમનું કહેવું છે કે આ ઉકાળો પીધા બાદ ઘણા લોકોના પેટ અને મોઢામાં ચાંદાની ફરિયાદો સામે આવી છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow