રાજકોટમાં વીજચોરીના 5 કેસમાં દોષિતને 5 વર્ષની જેલની સજા

રાજકોટમાં વીજચોરીના 5 કેસમાં દોષિતને 5 વર્ષની જેલની સજા

પીજીવીસીએલ દ્વારા મોરબી રોડ પર આવેલી સોસાયટીમાં વીજચેકિંગ હાથ ધર્યું હતું. જે ચેકિંગ ઝુંબેશ દરમિયાન આરોપી મગન પાનસુરિયાએ તેના મકાનમાં વીજ કનેક્શન લીધા વગર ઘર પાસેથી પસાર થતા વીજથાંભલે લંગર નાંખી વીજચોરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ચેકિંગ સમયે હાજર અધિકારીએ વીજચોરી કરનાર મગન પાનસુરિયાને બિલ આપવામાં આવ્યું હતું.

ત્યાર બાદ સમયાંતરે પીજીવીસીએલ દ્વારા આ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવતા આરોપી મગન પાનસુરિયા વધુ ચાર વખત વીજચોરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી જે તે સમયે પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા મગન પાનસુરિયાને વીજચોરી અંગેના બિલ આપવામાં આવ્યા હતા.

દરમિયાન પાંચ-પાંચ વખત વીજચોરી કરવાના ગુનામાં પકડાયેલા મગન પાનસુરિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી હતી. જે કેસ જજ જે.આઇ.પટેલની કોર્ટમાં ચાલતા પીજીવીસીએલના પક્ષે રોકાયેલા એડવોકેટ જિતેન્દ્ર એમ.મગદાણી, એપીપી એ.એસ.ગોગિયાએ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ તપાસનીશ અધિકારીની જુબાની લીધી હતી અને આરોપીએ કઇ રીતે વીજચોરી કરી તે અંગેની હકીકત જણાવી હતી. બંને પક્ષની રજૂઆત બાદ અદાલતે આરોપીએ વીજચોરી કરી હોવાનું સાબિત થતું હોવાનું જણાવી મગન પાનસુરિયાને દોષિત ઠેરવી પાંચેય કેસની પાંચ વર્ષની સજા એક સાથે ભોગવવાનો હુકમ કર્યો છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow