ફેસબુક ફ્રેન્ડ સાથે કોર્ટ મેરેજ માટે ઇસ્લામ ધર્મ અપનાવ્યો

ફેસબુક ફ્રેન્ડ સાથે કોર્ટ મેરેજ માટે ઇસ્લામ ધર્મ અપનાવ્યો

અલવરથી પોતાના બોયફ્રેન્ડ પાસે પાકિસ્તાન પહોંચેલી અંજુએ ઈસ્લામ કબૂલ કરીને લગ્ન કરી લીધા છે. ઈસ્લામ અપનાવ્યા બાદ તેણે પોતાનું નવું નામ ફાતિમા રાખ્યું છે. સમાચાર એજન્સી PTIએ આ દાવો કર્યો છે. બંનેએ પેશાવરની સ્થાનિક કોર્ટમાં લગ્ન કર્યા છે.

34 વર્ષની અંજુ હાલમાં તેના બોયફ્રેન્ડ 29 વર્ષીય નસરુલ્લાહ સાથે પાકિસ્તાનમાં રહે છે. 2019માં બંને વચ્ચે ફેસબુક પર મિત્રતા થઈ હતી. અંજુના આ બીજા લગ્ન છે, તે બે બાળકોની માતા પણ છે.

મોહરર સિટી પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને PTIએ દાવો કર્યો હતો કે લગ્ન કરનાર અંજુ અને નસરુલ્લા ડીયર બાલા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પહોંચ્યા હતા, તેમની સાથે કેટલાક પોલીસ અધિકારીઓ, વકીલો અને નસરુલ્લાના પરિવારના સભ્યો પણ હતા.

PTIએ મલાકંદ ડિવિઝનના ડીઆઈજી નાસિર મેહમૂદ સત્તીને ટાંકીને કહ્યું કે બંનેના લગ્ન થઈ ગયા છે. તેણે જણાવ્યું કે લગ્ન બાદ અંજુને પોલીસ સુરક્ષા હેઠળ એક ઘરમાં શિફ્ટ કરવામાં આવી છે.

અંજુ મધ્યપ્રદેશની છે, 2007માં લગ્ન કર્યા હતા
પ્રેમમાં પાકિસ્તાન પહોંચેલી અંજુના પતિ અરવિંદે જણાવ્યું કે તેમનો પરિવાર મૂળ બલિયા (યુપી)નો છે. પત્ની અંજુ ગ્વાલિયર (મધ્યપ્રદેશ)ની રહેવાસી છે. બંનેએ 2007માં લગ્ન કર્યા હતા. અરવિંદ મૂળભૂત રીતે ખ્રિસ્તી છે, જ્યારે અંજુના પિતાએ તેમના લગ્નના થોડા વર્ષો પહેલા ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow