યુએસમાં દૂષિત માંસને કારણે યુરિનલ ઇન્ફેક્શન વકર્યું!

યુએસમાં દૂષિત માંસને કારણે યુરિનલ ઇન્ફેક્શન વકર્યું!

અમેરિકામાં 25માંથી 10 મહિલા અને 3 પુરુષ યુરિનરી ટ્રેક્ટના ઇન્ફેક્શનથી પીડિત છે. યુરોલોજી કેર ફાઉન્ડેશનના એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં દર વર્ષે લોકોમાં થતા યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (યુટીઆઇ)માં અડધાથી વધુ કેસો પાછળ દૂષિત માંસ જવાબદાર છે. વાસ્તવમાં યુટીઆઇ એસ્ચેરિચિયા કોલી નામના બેક્ટેરિયાથી પણ થઇ શકે છે. આ બેક્ટેરિયા ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક્ટમાં મળે છે. વૉશિંગ્ટન યુનિવર્સિટી, મિશિગન યુનિવર્સિટી અને નૉર્થ એરિઝોના યુનિવર્સિટીએ એક વર્ષની અંદર ફ્લેગસ્ટાફ અને એરિઝોનાની 9 મુખ્ય દુકાનમાંથી 1,923 કિલો ચિકન, પિગ મીટ અને ટર્કીના સેમ્પલનું વિશ્લેષણ કરીને આ નિષ્કર્ષ જાહેર કર્યું છે.

આ નમૂના એકત્ર કર્યા બાદ સંશોધકોએ ફ્લેગસ્ટાફ મેડિકલ સેન્ટરમાંથી 1,188 યુરિન અને બ્લડનાં સેમ્પલની તપાસ કરી. જેનિટિક ટેસ્ટિંગ બાદ જાણવા મળ્યું કે યુટીઆઇના લગભગ 8% કેસ આ પ્રકારનું દૂષિત માંસ ખાવાથી સામે આવ્યા છે. અમેરિકામાં 60થી 80 લાખ યુટીઆઇના કેસની સારવાર કરાય છે. દરમિયાન ખરાબ અને દૂષિત માંસથી અસરગ્રસ્ત દર્દીઓની સંખ્યા 4,80,000થી 6,40,000 કેસને બરાબર હોઈ શકે છે. એસ્ચેરિચિયા કોલી બેક્ટેરિયા જાનવરોની સાથે માણસોના આંતરડામાં પણ જોવા મળે છે. તે નોર્મલ માઇક્રોબાયોમની એક જરૂરી ભૂમિકા નિભાવે છે પરંતુ અનેકવાર ગંભીર બીમારીનો શિકાર પણ બનાવી શકે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow