ગમે તેવો તાવ મટાડી શકે છે આ 5 પાનનું સેવન, જાણો તેના ફાયદાઓ વિશે

ગમે તેવો તાવ મટાડી શકે છે આ 5 પાનનું સેવન, જાણો તેના ફાયદાઓ વિશે

બદલાતી ઋતુમાં ખાંસી તાવ જેવી સમસ્યાઓ થવી સામાન્ય વાત છે. તેના દૂર કરવા માટે તમારી ઈમ્યુનિટી પાવર મજબૂત હોવો જોઈએ. એવામાં જો તમે ઈમ્યુનિટી બૂસ્ટ કરીને હલ્કી-ફૂલ્કી ખાંસી તાવને આયુર્વેદિક ઉપાયથી દૂર કરવા માંગો છો તો અમે તમને પાંચ ખૂબ જ ફાયદાકારક પાનની જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

તેના ઉપયોગથી ઈમ્યુનિટી બૂસ્ટ થશે અને તાવ જેવી સમસ્યા દૂર થઈ શકે છે. જોકે સાથે જ તમારે પોતાનું ધ્યાન પણ રાખવાનું રહેશે. યોગ્ય પોષકતત્વો વાળો ખોરાક લેવો પડશે અને જો સમસ્યા વધી જાય તો ડૉક્ટરને પણ બતાવવું જરૂરી છે.

કોથમિર
જે કોથમિરના પાનનો ઉપયોગ તમે ચટણીમાં કરો છો તે તાવ ઓછો કરવામાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. હકીકતે કોથમિરના પાન અને બીજોમાં ફાઈટોન્યુટ્રિએન્ટ્સ ગુણ હોય છે. જે ઈમ્યુનિટીને મજબૂત કરીને શરીરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

તેનો ઉપયોગ કરવા માટે અધો લિટર પાણીમાં કોથમિરના પાન નાખીને આ પાણીને પીવો. આમ કરવાથી વાયરલ ફિવર ઓછુ થવાની સાથે શરદી ખાંસીની મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે.

તુલસી
તુલસીના પાનના ફાયદા તો બધા જાણે જ છે. ઔષધીય ગુણોથી ભરપુર હોવાના કારણે તેને ખાંસી તાવ ઠીક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાં જ તેનાથી તાવ પણ ઓછો કરી શકાય છે.

તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ મળી આવે છે જે સિઝનલ ફિવરમાં શરીરની રક્ષા કરે છે. તેનો ઉપયોગ કરવા માટે તુલસીની ચા પી શકાય છે. તે ઉપરાંત પાન ચાવીને પણ ખાઈ શકાય છે.

સરગવાના પાન
સરગવાના પાનનો ઉપયોગ તાવને ઓછો કરવા માટે કરવામાં આવે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણ મળી આવે છે.

જે તાવને ઓછો કરવાની સાથે સાથે ઈમ્યુનિટીને પણ મજબૂત કરે છે. સરગવાના પાનની છાલ શરીરમાંથી ટોક્સિંસ બહાર કાઢીને શરીરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

ઓરેગાનો
ઓરેગાનો એક ગુણકારી પાન છે જેનો ઉપયોગ આયુર્વેદિક ઉપાયમાં કરી શકાય છે. ઓરેગાનોને અજમાના પાનના નામથી પણ ઓળખવામાં આવે છે.

આ એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે જે સંક્રમણ ફેલાવતા વાયરસ અને બેક્ટેરિયાથી લડે છે અને કોમન કોલ્ડ તાવને દૂર કરવામાં મદદ કરે છે.

તમાલપત્ર
તમાલપત્ર શરીરની ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે. તેમાં સેફિસિનોલાઈટ કમ્પાઉન્ડ હોય છે જે તાવ જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તેના પાનનો ઉકાળો બનાવીને પી શકાય છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow