ટીયર 2-3માં માંગને ધ્યાનમાં રાખી ફાઇ. કંપનીઓ દ્વારા વિસ્તરણ

ટીયર 2-3માં માંગને ધ્યાનમાં રાખી ફાઇ. કંપનીઓ દ્વારા વિસ્તરણ

વૈશ્વિક સ્તરે સતત વધી રહેલી મોંઘવારી અને વ્યાજદર વધારા છતાં લોન ગ્રોથ જળવાઇ રહ્યો છે. ફાઇનાન્સ કંપનીઓનો ગ્રોથ છેલ્લા કેટલાક સમયથી ડબલ ડિજિટમાં રહ્યો છે. મેટ્રો ઉપરાંત ટીયર 2 અને 3માંથી મોટા પાયે માગ આવી રહી છે જેને ધ્યાનમાં રાખી ફાઇનાન્સ કંપનીઓએ વિસ્તરણની યોજના ઘડી છે.

આધાર હાઉસિંગ ફાઇનાન્સની ગુજરાતમાં એસેટ અંડર મેનેજમેન્ટ રૂ.1,500 કરોડે પહોંચી છે, જે રાષ્ટ્રીય સ્તરે રૂ.16,000 કરોડની રહી છે. ગુજરાતમાં આ વર્ષે રૂ.700 કરોડની લોન ડિસબર્સમેન્ટનો લંક્ષ્યાક છે. જ્યારે રાષ્ટ્રીય સ્તરે રૂ.6,000 કરોડનો હોવાનું કંપનીના સીઓઓ રિષી આનંદે જણાવ્યું હતું. કંપનીની કામગીરી કોરોનાના સમય પહેલાનાં સ્તરે પહોંચી ગઈ છે. 2019-20માં ગ્રોથ 17 ટકાના સ્તરે હતો તે આ વર્ષે વધીને 25 ટકાએ પહોંચ્યો છે. કંપનીએ નાના શહેરો અને નગરો તથા ગામડામાં વધતી માગને ધ્યાનમાં લઇને નેટવર્કનું વિસ્તરણ હાથ ધર્યું છે અને તે હેઠળ અમદાવાદમાં નવી પ્રાદેશીક ઓફિસની શરૂઆત કરી છે.

દેશમાં એર્ફોડેબલ હાઉસિંગ લોનું માર્કેટ રૂ.80,000 કરોડનું છે, જેમાં કંપનીનો હિસ્સો 24 ટકા રહ્યો છે. કંપની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશમાં સૌથી વધુ રૂ.1,500 કરોડની લોન વિતરણ કરનાર રહી છે, જે સૂચવે છે કે કંપનીનું ફોકસ દેશના અંતરિયાળ ભાગોમાં વધુ રહ્યું છે, એમ જણાવીને તેઓએ ઉમેર્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં 1.95 ટકાનો વ્યાજદરમાં વધારો થયો હોવા છતાં કંપનીએ ગ્રાહકો પર અડધો ટકાનો જ વધારો પસાર કર્યો છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow