Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
Politics

કોંગ્રેસ ભારત જોડો યાત્રાની પહેલી એનિવર્સરી ઉજવશે

Gujaratnow1 min read
કોંગ્રેસ ભારત જોડો યાત્રાની પહેલી એનિવર્સરી ઉજવશે

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ પ્રસંગે કોંગ્રેસે દેશના દરેક જિલ્લામાં ભારત જોડો યાત્રા કાઢવાની જાહેરાત કરી છે. પાર્ટીએ આ માટે ઘણી જગ્યાએ કાર્યક્રમોનું આયોજન કરવાની પણ યોજના બનાવી છે.

રાહુલ ગાંધીએ ગયા વર્ષે 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. 145 દિવસ સુધી ચાલેલી આ 4000 કિલોમીટર લાંબી સફર 30 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં પૂરી થઈ. આ યાત્રા કેટલી લાંબી હશે, તેની રૂપરેખા અને અન્ય વિગતો ટૂંક સમયમાં જિલ્લા કોંગ્રેસ સમિતિઓને મોકલવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

શ્રીનગરમાં યાત્રાના સમાપન પ્રસંગે શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં રાહુલે કહ્યું- મેં આ યાત્રા મારા માટે કે કોંગ્રેસ માટે નહીં પરંતુ દેશના લોકો માટે કરી છે. અમારો ઉદ્દેશ્ય એવી વિચારધારા સામે ઊભા રહેવાનો છે જે આ દેશના પાયાને ખતમ કરવા માંગે છે.

Gujaratnow1 min read

Related News