ગોંડલમાં નગરપાલિકાએ ઘરની ધોરાજી ચલાવતા કોંગ્રેસનો વિરોધ

ગોંડલમાં નગરપાલિકાએ ઘરની ધોરાજી ચલાવતા કોંગ્રેસનો વિરોધ

ગોંડલ નગર પાલિકા તંત્રએ સરકારી જાહેરાતના હોર્ડિંગ બોર્ડમાં ધારાસભ્યના પુત્રની વાહવાહી કરતાં વિપક્ષ કોંગ્રેસે આ મુદે વાંધો લીધો છે અને ઘરની ધોરાજી ચલાવતા નગરપાલિકા તંત્રના ચીફઓફિસર સામે કાર્યવાહી કરવા પ્રાંત અધિકારીને આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી છે.

ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડિયા,યતિશભાઇ દેસાઈ, દિનેશભાઈ પાતર, શૈલેષભાઈ રૈયાણી સહિતના કોંગ્રેસીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું હતું કે ગોંડલ નગરપાલિકા દ્વારા વેરા વસુલાત કરવા અંગે રાજય સરકારની પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત બાકી મિલકત વેરાની બાકી રકમ ભરપાઈ કરનારને વ્યાજ અને પેનલ્ટી માફ કરવા અંગેનાં જાહેરાતના બોર્ડ નગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ લગાડવામાં આવ્યા છે. જે સરકારી યોજનાને અંતર્ગત છે, જેમાં ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફીસર તેમજ પદાધિકારીઓના ફોટા પણ છે.

જેમાં એક ફોટો ધારાસભ્ય ગીતાબા જાડેજા ના પુત્ર ગણેશભાઈનો પણ છે જે વ્યક્તિ સરકારમાં કે ગોંડલપાલિકામાં કોઈ હોદો ધરાવતા નથી. તેમ છતા પાલિકાના ચીફ ઓફીસરે આ વાત જાણતા હોવા છતાં આ વ્યકિતનો ફોટો અને નામ મૂકી કાયદા વિરુધ્ધનું કૃત્ય કર્યું છે અને ગંભીર ગુનો આચર્યો છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow