કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું

કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું

દેશનાં પશ્ચિમી રાજ્યો માટે ચિંતાનું કારણ બનેલા બિપરજોય વાવાઝોડાએ પોતાની દિશામાં આંશિક બદલાવ કરી દેતા ફરી કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધવા પામ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે હવે ‘બિપરજોય’ પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાયું છે.

વાવાઝોડાએ પોતાની દિશામાં આંશિક બદલાવ
અરબી સમુદ્રમાં પેદા થયેલા અને તીવ્ર ચક્રવાતમાં બદલાઈ ગયેલા બિપરજોય ગુરુવારના રાત સુધી ઉતરી પશ્ચિમી દિશા તરફ આગળ વધતું હતું, એટલે કે તે પાકિસ્તાનથી ઈરાન અને ઓમાનની દિશા તરફ વળશે તેવા અંદેશાને તમામ મોડ્યુલ સમર્થન આપી રહ્યા હતા. પરંતુ રાતોરાત દરિયામાં જ બિપરજોયએ પોતાનો માર્ગ બદલીને ઉતર પશ્ચિમની જગ્યાએ ઉતર પૂર્વીય કરી નાખતા ફરી ગુજરાતના હવામાન વિભાગ સાવચેત થયો છે. દરમિયાન સૌરાષ્ટ્ર- કચ્છ અને આસપાસના જિલ્લાઓમાં આગામી 11 થી 14 જુન વચ્ચે 80થી 100 કિમીની ઝડપે તેજ પવન સાથે ભારે વરસાદ થઈ શકે છે.

પોર્ટ પ્રશાસન દ્વારા આજથી વિશેષ ચક્રવાત કંટ્રોલ રૂમથી શરૂઆત કરવાની તજવીજ હાથ ધરાઈ છે. સિગ્નલ સ્ટેશન, પોર્ટ પ્રશાસન અને વિભાગીય વડાઓ, રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન સાથે તાલમેલ રાખીને પરિસ્થિતિઓ અનુસાર સહુને દિશા નિર્દેશ આપવા અને માહિતીઓનું આદાન પ્રદાન કરીને સહુને સચેત કરવાનો તેમાં પ્રયાસ કરવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow