માગશર મહિનામાં શિવ પૂજાનો સંયોગ

માગશર મહિનામાં શિવ પૂજાનો સંયોગ

આજે ધૃતિ, સર્વાર્થ સિદ્ધિ, પ્રજાપતિ અને અમૃત સિદ્ધિ યોગમાં પ્રદોષ વ્રત રાખવામાં આવશે. આ ચાર શુભ યોગમાં શિવ-પાર્વતી પૂજાનું ફળ અનેકગણું વધી જશે. આ વ્રત ભગવાન શિવનો આશીર્વાદ મેળવવા માટે ખાસ હોય છે. 22મીએ માસિક શિવરાત્રિ છે. આ દિવસ પણ ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે પણ શિવપૂજા સાથે વ્રત રાખવામાં આવે છે. બીજા દિવસે એટલે 23 ડિસેમ્બરે માગશર મહિનાની અમાસ છે. આ દિવસે શુક્રવાર હોવાથી શુભ સંયોગ બની રહ્યો છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શુક્રવારે અમાસનું હોવું શુભ હોય છે.

પ્રદોષ અને માસિક શિવરાત્રિ પૂજા
પ્રદોષ વ્રત અને માસિક શિવરાત્રિએ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરવાનું વિધાન છે. સવારે ઘરના જ પાણીમાં પવિત્ર નદીઓનું જળ મિક્સ કરીને સ્નાન કરવામાં આવે છે. પૂજા સ્થાનને સાફ અને પવિત્ર કરીને પૂર્વ દિશામાં મોં રાખીને ભગવાન શિવ-પાર્વતી સાથે જ ગણેશજી અને કાર્તિકેયજીની પૂજા કરવામાં આવે છે.

શિવજીને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે. આંકડાના ફૂલ, બીલીપત્ર, અક્ષત, ધતૂરો વગેરે દ્વારા પૂજા કરીને નૈવેદ્ય ધરાવવામાં આવે છે. તે પછી કામના પૂર્તિ અથવા જે કોઈ ખાસ પ્રયોજન માટે પ્રદોષ વ્રત કરી રહ્યા છો તેનું ઉચ્ચારણ કરીને વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે. સાથે જ, આખો દિવસ કશું જ ખાધા વિના સંયમથી રહીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે.

સાંજે પ્રદોષ કાળમાં ભગવાન શિવનું વિધિ-વિધાનથી પૂજન કરો. અભિષેક કરો. પ્રદોષ વ્રતની કથા સાંભળો અથવા વાંચો. પ્રદોષ કાળ સૂર્યાસ્તથી લગભગ 1 કલાક પહેલાં હોય છે. તે સમયે જ પ્રદોષનું પૂજન સંપન્ન કરવું જોઈએ. શનિવાર હોવાથી આ દિવસે શનિદેવની પૂજા પણ કરી શકાય છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow