માગશર મહિનામાં શિવ પૂજાનો સંયોગ

માગશર મહિનામાં શિવ પૂજાનો સંયોગ

આજે ધૃતિ, સર્વાર્થ સિદ્ધિ, પ્રજાપતિ અને અમૃત સિદ્ધિ યોગમાં પ્રદોષ વ્રત રાખવામાં આવશે. આ ચાર શુભ યોગમાં શિવ-પાર્વતી પૂજાનું ફળ અનેકગણું વધી જશે. આ વ્રત ભગવાન શિવનો આશીર્વાદ મેળવવા માટે ખાસ હોય છે. 22મીએ માસિક શિવરાત્રિ છે. આ દિવસ પણ ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે પણ શિવપૂજા સાથે વ્રત રાખવામાં આવે છે. બીજા દિવસે એટલે 23 ડિસેમ્બરે માગશર મહિનાની અમાસ છે. આ દિવસે શુક્રવાર હોવાથી શુભ સંયોગ બની રહ્યો છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શુક્રવારે અમાસનું હોવું શુભ હોય છે.

પ્રદોષ અને માસિક શિવરાત્રિ પૂજા
પ્રદોષ વ્રત અને માસિક શિવરાત્રિએ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરવાનું વિધાન છે. સવારે ઘરના જ પાણીમાં પવિત્ર નદીઓનું જળ મિક્સ કરીને સ્નાન કરવામાં આવે છે. પૂજા સ્થાનને સાફ અને પવિત્ર કરીને પૂર્વ દિશામાં મોં રાખીને ભગવાન શિવ-પાર્વતી સાથે જ ગણેશજી અને કાર્તિકેયજીની પૂજા કરવામાં આવે છે.

શિવજીને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે. આંકડાના ફૂલ, બીલીપત્ર, અક્ષત, ધતૂરો વગેરે દ્વારા પૂજા કરીને નૈવેદ્ય ધરાવવામાં આવે છે. તે પછી કામના પૂર્તિ અથવા જે કોઈ ખાસ પ્રયોજન માટે પ્રદોષ વ્રત કરી રહ્યા છો તેનું ઉચ્ચારણ કરીને વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે. સાથે જ, આખો દિવસ કશું જ ખાધા વિના સંયમથી રહીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે.

સાંજે પ્રદોષ કાળમાં ભગવાન શિવનું વિધિ-વિધાનથી પૂજન કરો. અભિષેક કરો. પ્રદોષ વ્રતની કથા સાંભળો અથવા વાંચો. પ્રદોષ કાળ સૂર્યાસ્તથી લગભગ 1 કલાક પહેલાં હોય છે. તે સમયે જ પ્રદોષનું પૂજન સંપન્ન કરવું જોઈએ. શનિવાર હોવાથી આ દિવસે શનિદેવની પૂજા પણ કરી શકાય છે.

Read more

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૫૫૦ થી વધુ ખેડૂતો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્

By Gujaratnow
આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow