માગશર મહિનામાં શિવ પૂજાનો સંયોગ

માગશર મહિનામાં શિવ પૂજાનો સંયોગ

આજે ધૃતિ, સર્વાર્થ સિદ્ધિ, પ્રજાપતિ અને અમૃત સિદ્ધિ યોગમાં પ્રદોષ વ્રત રાખવામાં આવશે. આ ચાર શુભ યોગમાં શિવ-પાર્વતી પૂજાનું ફળ અનેકગણું વધી જશે. આ વ્રત ભગવાન શિવનો આશીર્વાદ મેળવવા માટે ખાસ હોય છે. 22મીએ માસિક શિવરાત્રિ છે. આ દિવસ પણ ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે પણ શિવપૂજા સાથે વ્રત રાખવામાં આવે છે. બીજા દિવસે એટલે 23 ડિસેમ્બરે માગશર મહિનાની અમાસ છે. આ દિવસે શુક્રવાર હોવાથી શુભ સંયોગ બની રહ્યો છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શુક્રવારે અમાસનું હોવું શુભ હોય છે.

પ્રદોષ અને માસિક શિવરાત્રિ પૂજા
પ્રદોષ વ્રત અને માસિક શિવરાત્રિએ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરવાનું વિધાન છે. સવારે ઘરના જ પાણીમાં પવિત્ર નદીઓનું જળ મિક્સ કરીને સ્નાન કરવામાં આવે છે. પૂજા સ્થાનને સાફ અને પવિત્ર કરીને પૂર્વ દિશામાં મોં રાખીને ભગવાન શિવ-પાર્વતી સાથે જ ગણેશજી અને કાર્તિકેયજીની પૂજા કરવામાં આવે છે.

શિવજીને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે. આંકડાના ફૂલ, બીલીપત્ર, અક્ષત, ધતૂરો વગેરે દ્વારા પૂજા કરીને નૈવેદ્ય ધરાવવામાં આવે છે. તે પછી કામના પૂર્તિ અથવા જે કોઈ ખાસ પ્રયોજન માટે પ્રદોષ વ્રત કરી રહ્યા છો તેનું ઉચ્ચારણ કરીને વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે. સાથે જ, આખો દિવસ કશું જ ખાધા વિના સંયમથી રહીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે.

સાંજે પ્રદોષ કાળમાં ભગવાન શિવનું વિધિ-વિધાનથી પૂજન કરો. અભિષેક કરો. પ્રદોષ વ્રતની કથા સાંભળો અથવા વાંચો. પ્રદોષ કાળ સૂર્યાસ્તથી લગભગ 1 કલાક પહેલાં હોય છે. તે સમયે જ પ્રદોષનું પૂજન સંપન્ન કરવું જોઈએ. શનિવાર હોવાથી આ દિવસે શનિદેવની પૂજા પણ કરી શકાય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow