ભારતમાં 2025 સુધીમાં ક્લાઉડ ગેમ ચેન્જર પુરવાર થશે : નદેલા

ભારતમાં 2025 સુધીમાં ક્લાઉડ ગેમ ચેન્જર પુરવાર થશે : નદેલા

ભારતમાં ડિજિટાઇઝેશનની પહેલને અસામાન્ય પરિવર્તન ગણાવતા માઇક્રોસોફ્ટના ચેરમેન સીઇઓ અને સત્યા નદેલાએ કહ્યું હતું કે આગામી વર્ષોમાં ક્લાઉડ અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ ભારતના આર્થિક વિકાસમાં અનિવાર્ય ટેક્નોલોજીપુરવાર થશે. વર્ષ 2025 સુધીમાં મોટાભાગની એપ્લિકેશન્સ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર બિલ્ટ થશે એમ જણાવતા નદેલાએ કહ્યું હતું કે આશરે 90 ટકા ડિજિટલ વર્કલૉડ ક્લાઉડ આધારિત પ્લેટફોર્મ પર શિફ્ટ થઈ જશે.

મુંબઈમાં માઇક્રોસોફ્ટ ફ્યુચર રેડી લીડરશીપ સમિટમાં બોલતા સત્યા નદેલાએ આ વાત કહી હતી.ટેકનોલોજીથી સુસસ્જ ભારત અંગે પોતાનું વિઝન રજૂ કરતા નદેલાએ કહ્યું હતું કે ભારતની ડિજિટલ સફરમાં ક્લાઉડ ટેક્નોલોજીપાયાની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું હતું કે ક્લાઉડથી કાર્યક્ષમતામાં 70થી 80 ટકાનો વધારો થશે. અમે 60થી વધુ પ્રદેશોમાં 200થી વધુ ડેટા સેન્ટર માટે રોકાણ કરી રહ્યાં છીએ. માત્ર ભારતમં જ અમે હૈદરાબાદમાં ચોથુ સેન્ટર ઉભું કરીશું. અમે દરેક જગ્યાએ ક્લાઉડ ઉપલબ્ધ થાય એ માટે પ્રયાસ કરી રહ્યાં છીએ. દરેક ફેક્ટરી, રીટેલ સ્ટોર, વેરહાઉસ અને હોસ્પિટલમાં સર્જાતા ડેટા માટે ક્લાઉડની જરૂર પડશે. ઉલ્લેખનીય છે કે સત્યા નદેલા હાલ ચાર દિવસના ભારત પ્રવાસે છે. તેઓ મુંબઈ, નવી દિલ્હી, બેંગલરુ અને હૈદરાબાદની મુલાકાત લશે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow