અમેરિકામાં વર્ગખંડની હવા બહારની હવા કરતાં 5 ગણી દૂષિત છે

અમેરિકામાં વર્ગખંડની હવા બહારની હવા કરતાં 5 ગણી દૂષિત છે

અમેરિકાના ટોચના વિજ્ઞાની અને શિક્ષકો વર્ગખંડની અંદરની હવાને સ્વચ્છ રાખવા માટે સતત નવી રીતોની શોધ કરી રહ્યા છે. અમેરિકામાં સરેરાશ શાળાની ઇમારતો 50 વર્ષ જૂની છે. સરકાર દ્વારા 2020માં કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ 41 ટકાથી વધુ સ્કૂલોમાં હીટિંગ, વેન્ટિલેશન અને એર કન્ડિશનિંગ સિસ્ટમમાં સુધારો કરવાની જરૂર છે.

આવી આશરે 36,000 ઇમારતો છે. વર્ગખંડની હવા રોગજન્ય તત્ત્વોની સાથે સાથે કાર્બન મોનોક્સાઇડ, રેડોન અને લેડ કણો જેવાં અનેક પ્રકારનાં પ્રદૂષકોના કારણે દૂષિત થઇ શકે છે. પર્યાવરણ સંરક્ષણ એજન્સીના કહેવા મુજબ બહારની સરખામણીમાં વર્ગખંડની અંદર આ પ્રકારનાં પ્રદૂષકોનું સ્તર પાંચ ગણા કરતાં પણ વધારે હોઇ શકે છે.

સીડીસીના સંશોધકો અને જ્યોર્જિયાના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટે કોરોના બાદ 169 શાળામાં અભ્યાસની કામગીરી હાથ ધરી હતી. જે શાળામાં વેન્ટિલેશનની સ્થિતિને સુધારવામાં આવી હતી ત્યાં કોરોનાના 39 ટકા કેસ ઓછા જોવા મળ્યા હતા. જે શાળાઓમાં વેન્ટિલેશનની સ્થિતિને સુધારવાની સાથે સાથે એર ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યાં કોરોનાના 48 ટકા કેસ ઓછા જોવા મળ્યા હતા.

એક અન્ય અભ્યાસમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે ખુલ્લી બારીઓવાળા વર્ગખંડની સરખામણીમાં સારી વેન્ટિલેશન વ્યવસ્થા અને એર ફિલ્ટર જેવાં સાધનો ધરાવનાર વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચે સંક્રમણ ફેલાવવાનો ખતરો 74 ટકા સુધી ઓછો રહે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow