અરુણાચલમાં ભારત અને ચીનની સેના વચ્ચે ફરી ઘર્ષણ, બન્ને પક્ષના 30 સૈનિકો ઘાયલ

અરુણાચલમાં ભારત અને ચીનની સેના વચ્ચે ફરી ઘર્ષણ, બન્ને પક્ષના 30 સૈનિકો ઘાયલ

15 જુન 2020ના દિવસે લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લોહિયાળ જંગ થયો હતો જેમાં 20 ભારતીય જવાનો અને ચીનના ઘણા જવાનોના મોત થયા હતા. હવે અરુણાચલના તવાંગમા બન્ને દેશના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું છે. જોકે બન્ને દેશના સૈનિકો વચ્ચે અત્યારે નહી પરંતુ 9 ડિસેમ્બરે થયું હતું જેની હવે જાણકારી સામે આવી છે.

અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણના સમાચાર છે. આ ઘટનાની બંને તરફના સૈનિકોને ઇજા પહોંચી હોવાના સમાચાર છે. આ ઘટના તવાંગ જિલ્લાના યાંગસ્ટેની છે. રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ઘટના 9 ડિસેમ્બર 2022ના રોજ બની હતી.

ચીનની સેના એલએસીએ પહોંચી જતા ભારતીય સૈનિકોએ આપ્યો જડબાતોડ જવાબ

અહેવાલો અનુસાર, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી એલએસી પર પહોંચી ગઈ હતી. ચીની સૈનિકોની આ હરકતનો ભારતીય સૈનિકોએ જોરદાર વિરોધ કર્યો હતો. આ દરમિયાન બંને સેનાઓ વચ્ચે ઘર્ષણના સમાચાર પણ મળી રહ્યા છે. આ અથડામણમાં સેનાના કેટલાક સૈનિકો બંને પક્ષે ઘાયલ થયા છે.

15 જૂન 2020ના દિવસે ગલવાન સંઘર્ષમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા
ચીન સરહદે 15 જૂન 2020ની ઘટના બાદ આ પ્રકારની આ પહેલી ઘટના છે. તે સમયે લદ્દાખની ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 સૈનિકો માર્યા ગયા હતા અને ઘણા અન્ય ઘાયલ થયા હતા. આ અથડામણમાં ઘણા ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા. અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં એલએસી પાસેના કેટલાક વિસ્તારોમાં બંને દેશના જવાનો પેટ્રોલિંગ કરીને સરહદની રખેવાળી કરી રહ્યાં છે અને આ દરમિયાન ઘણી વાર તેઓ એકબીજાની સામસામે આવી જાય છે.

Read more

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow
બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લંડનના મેયર સાદિક ખાન પર હુમલો કર્યો છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટા

By Gujaratnow
રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગવી પડી. ખરેખર,

By Gujaratnow
રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારા

By Gujaratnow