દેશમાં આવકવેરો ચૂકવનારા નાગરિકો એક કરોડ પણ નથી, 48% હિસ્સો એકલા ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યનો

કદાચ તમને જાણીને નવાઇ લાગશે કે આપણા દેશમાં માત્ર 6% કરદાતા છે, જેમાં 5.5% પર શૂન્ય ટેક્સ છે. 2020-21માં દેશની કુલ 132 કરોડની વસતીમાં માત્ર 8.22 કરોડ જ કરદાતા હતા. તેમાં પણ 7.5 કરોડથી વધુ કરદાતાઓ છૂટના દાયરા હેઠળ આવે છે એટલે કે તેઓને કોઇ ટેક્સની ચુકવણી કરવી પડતી નથી. એટલે માત્ર 72 લાખ કરદાતાઓના દમ પર જ કેન્દ્ર સરકાર અંદાજે રૂ.8 લાખ કરોડની કમાણી કરે છે. અમેરિકામાં 60% વસતી આવકવેરો ભરે છે. જાણકારો અનુસાર જો દેશમાં ઓછામાં ઓછા 23% વસતી ટેક્સ ભરે તો દરો ઘટાડી શકાય છે. આવકવેરા કલેક્શનમાં 48% હિસ્સો યુપી-બિહાર, મધ્યપ્રદેશ સહિત 5 રાજ્યનો જ છે.
દેશમાં માત્ર 7% કરદાતાની આવક 10 લાખથી ઉપર
દેશમાં 1 કરોડથી વધુ ટેક્સ આપનારા લોકોની સંખ્યા 5 હજારથી વધુ...
- 1 લાખ રૂ.થી વધુ ટેક્સ ભરનારાની સંખ્યા: 30,08,033
- 1-10 લાખ રૂપિયા વચ્ચે કર ચૂકવતા કરદાતા: 27,93,463
- 10-50 લાખ રૂ. સુધી ટેક્સ ચૂકવતા કરદાતાની - 1,96,535
- 50 લાખથી 1 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવનારનો આંકડો - 12,963
- 1 કરોડથી વધુ ટેક્સ ચૂકવનારા કરદાતાઓની સંખ્યા - 5,072
UPથી સર્વાધિક કમાણી | 18% હિસ્સો અહીંથી આવે છે
- કેન્દ્ર દ્વારા કુલ ટેક્સ કલેક્શનમાં રાજ્યોના હિસ્સે રૂ.10.21 લાખ કરોડ આવે છે, જેમાં યુપી 1.8 લાખ કરોડ રૂ. એટલે કે 18%ના હિસ્સા સાથે પહેલા ક્રમે છે.
- બિહારનો 10%, મધ્યપ્રદેશનો 8% અને મહારાષ્ટ્ર-રાજસ્થાનનો 6-6% છે.