સિટીગ્રુપે ત્રીજા ક્વાર્ટરમાં 2,000 કર્મચારીઓની છટણી કરી

સિટીગ્રુપે ત્રીજા ક્વાર્ટરમાં 2,000 કર્મચારીઓની છટણી કરી

સિટીગ્રુપે ત્રીજા ક્વાર્ટર (Q3)માં તેના 2,000 કર્મચારીઓને છૂટા કર્યા છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ છટણીને કારણે, કંપનીના વર્ષ માટે કુલ સેવરેંસ ચાર્જ (બરતરફીની કિંમત) વધીને 650 મિલિયન ડોલર એટલે કે 5,413 કરોડ રૂપિયા થઈ ગયા છે.

સિટીગ્રુપે આ વર્ષે કુલ 7,000ને નોકરીઓમાંથી છૂટા કર્યા
સિટીગ્રુપના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર માર્ક મેસને વિશ્લેષકો સાથે કોન્ફરન્સ કોલ પર અર્નિંગ્સ પર ચર્ચા કરતાં જણાવ્યું હતું કે કંપનીએ આ વર્ષે કુલ 7,000 નોકરીઓમાં કાપ મૂક્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જૂનના અંતમાં નોંધાયેલા અગાઉના કુલ સેવરેંસ ચાર્જ 450 મિલિયન ડોલર એટલે કે રૂ. 3,747 કરોડ હતા, જે લગભગ 5,000 નોકરીઓમાં કાપ માટે હતા.

કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થવાને કારણે રિપોઝિશનિંગ ચાર્જિસ
મેસને એમ પણ કહ્યું કે કંપનીમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનું કારણ રિપોઝિશનિંગ ચાર્જિસ છે. સિટીગ્રુપે ગયા મહિને જાહેરાત કરી હતી કે કંપની રિસ્ટ્રક્ચરરિંગ કરશે, ફર્મને પાંચ મુખ્ય વ્યવસાયો પર ફરીથી ફોકસ કરશે.

રિસ્ટ્રક્ચરરિંગથી ​​​​​​​​​​​​ નોકરીમાં ઘટાડો થશે
અહેવાલ મુજબ, જૂથે કહ્યું છે કે રિસ્ટ્રક્ચરરિંગથી​​​​​​​ ​​​​​​​​​​​​ નોકરીમાં ઘટાડો થશે, પરંતુ કંપનીએ હજુ સુધી સંખ્યા જાહેર કરી નથી. કાપ છતાં, કંપનીના કુલ 2,40,000 કર્મચારીઓની સંખ્યા છેલ્લા ચાર ક્વાર્ટરમાં સ્થિર રહી છે. કંપનીએ તાજેતરમાં કેટલાક ટેક્નોલોજી સ્ટાફ અને અન્ય કર્મચારીઓને જોડેયા છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow