ચીન સરહદે 500 ગામ ફરી વસાવાશે

ચીન સરહદે 500 ગામ ફરી વસાવાશે

ચીન સાથે જોડાયેલી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ને નાગરિક પ્રહરીઓ દ્વારા સજ્જ કરવા માટે ભારત સરકાર અને સૈન્ય મોટું પગલું ભરવા જઈ રહ્યાં છે. દેશ માટે આંખ-કાન-નાક માનવામાં આવતા સરહદી વિસ્તારોના ગામોને ફરી રહેવા લાયક બનાવવા, અહીંથી સ્થળાંતર રોકવા અને પ્રવાસીઓને સરહદના છેલ્લા ગામની સહેલ કરાવવા માટે 500 ગામોનો ફરી આબાદ કરવાનો નિર્ણય લેવાયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 અને 22 ઓક્ટોબરે ઉત્તરાખંડમાં કેદારનાથ અને બદ્રીનાથના પ્રવાસ દરમિયાન એલએસીના છેલ્લા ગામ માણા જઈને તેને વાઇબ્રન્ટ વિલેજનો દરજ્જો આપશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીન સાથેની વિવાદીત સરહદની આસપાસના આ ગામ લદ્દાખથી લઈને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કીમ અને અરૂણાચ પ્રદેશ સુધી ફેલાયેલા છે. ભારતીય સૈન્ય અને પ્રશાસન આ ગામોને સંયુક્ત રીતે વિકસિત કરશે. ભારતીય સૈન્ય આ ગામોના લોકોનું વિશેષ ધ્યાન રાખશે. ગ્રામજનોને ફરી ગામ છોડવું ન પડે એ માટે તમામ સુવિધાઓ આપવામાં આવશે.

એલએસીના ગામોને નજીકના મોટા શહેરો સાથે રસ્તાથી જોડવામાં આવશે. સાથે જ પ્રવાસન મંત્રાલયની મદદથી ટુરિસ્ટ ફ્રેન્ડલી વાતાવરણ પણ તૈયાર કરવામાં આવશે. સરકારની યોજના મુજબ આ તમામ ગામોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતા સરહદ પર નજર રાખવાનું કામ સરળ બની જશે. આ ઉપરાંત એલએસી પર તહેનાત સૈનિકો માટે આ વિસ્તાર વેરાન નહીં રહે. પ્રવાસીઓના આગમનથી સ્થાનિક અર્થતંત્ર મજબૂત થશે અને આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન મળશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow