Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
✨ Gujarat

ચૌધરી પરિવારના 4 સભ્યનાં મૃત્યુમાં CID ક્રાઇમની તપાસ

Gujaratnow1 min read
ચૌધરી પરિવારના 4 સભ્યનાં મૃત્યુમાં CID ક્રાઇમની તપાસ

કેનેડાથી બોટમાં અમેરિકા જઈ રહેલા મહેસાણાના માણેકપુરા ગામના ચૌધરી પરિવારના 4 સભ્યોના સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી જવાથી મોત નીપજયાં હોવાની ઘટનામાં સીઆઈડી ક્રાઈમે તપાસ શરૂ કરી છે. સીઆઈડી ક્રાઈમની ટીમ માણેકપુરા ગઈ હતી અને આ પરિવારના સગાં - સંબંધી તેમજ મિત્ર વર્તુળની પૂછપરછ કરી હતી.

જો કે પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતુ કે આ પરિવારના ચારેય સભ્યો કેનેડાના ટુરિસ્ટ વિઝાના આધારે 2 મહિના માટે ફરવા ગયા હતા. જેથી તેમણે વિઝા કયા એજન્ટ મારફતે કરાવ્યા હતા અને કેટલા પૈસા ચૂકવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માણેકપુરા ગામના પ્રવીણ ચૌધરી, પત્ની દક્ષાબહેન દીકરી વિધી અને દીકરા મિત સાથે કેનેડા ફરવા ગયા હતા. અમેરિકા અને કેનેડાની વચ્ચે આવેલી સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પલ્ટી જતાં ચારેયના મોત નીપજયા હતા. આ સમાચાર કુટુંબના સભ્યોને સોશિયલ મીડિયાથી મળ્યા હતા. આ ઘટનામાં કેેનેડાથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવામાં આવી રહી હોવાની શંકાના આધારે સીઆઈડી ક્રાઈમે તપાસ શરૂ કરી છે. સીઆઈડી ક્રાઈમના વડા આર.બી.બ્રહ્મભટ્ટ એ જણાવ્યું હતું કે, ડીવાયએસપી આર.પી.ધરસંડિયાને આ કેસની તપાસ સોંપવામાં આવી છે.

Gujaratnow1 min read

Related News