ચૌધરી પરિવારના 4 સભ્યનાં મૃત્યુમાં CID ક્રાઇમની તપાસ

ચૌધરી પરિવારના 4 સભ્યનાં મૃત્યુમાં CID ક્રાઇમની તપાસ

કેનેડાથી બોટમાં અમેરિકા જઈ રહેલા મહેસાણાના માણેકપુરા ગામના ચૌધરી પરિવારના 4 સભ્યોના સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી જવાથી મોત નીપજયાં હોવાની ઘટનામાં સીઆઈડી ક્રાઈમે તપાસ શરૂ કરી છે. સીઆઈડી ક્રાઈમની ટીમ માણેકપુરા ગઈ હતી અને આ પરિવારના સગાં - સંબંધી તેમજ મિત્ર વર્તુળની પૂછપરછ કરી હતી.

જો કે પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતુ કે આ પરિવારના ચારેય સભ્યો કેનેડાના ટુરિસ્ટ વિઝાના આધારે 2 મહિના માટે ફરવા ગયા હતા. જેથી તેમણે વિઝા કયા એજન્ટ મારફતે કરાવ્યા હતા અને કેટલા પૈસા ચૂકવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માણેકપુરા ગામના પ્રવીણ ચૌધરી, પત્ની દક્ષાબહેન દીકરી વિધી અને દીકરા મિત સાથે કેનેડા ફરવા ગયા હતા. અમેરિકા અને કેનેડાની વચ્ચે આવેલી સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પલ્ટી જતાં ચારેયના મોત નીપજયા હતા. આ સમાચાર કુટુંબના સભ્યોને સોશિયલ મીડિયાથી મળ્યા હતા. આ ઘટનામાં કેેનેડાથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવામાં આવી રહી હોવાની શંકાના આધારે સીઆઈડી ક્રાઈમે તપાસ શરૂ કરી છે. સીઆઈડી ક્રાઈમના વડા આર.બી.બ્રહ્મભટ્ટ એ જણાવ્યું હતું કે, ડીવાયએસપી આર.પી.ધરસંડિયાને આ કેસની તપાસ સોંપવામાં આવી છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow