સિક્કિમમાં પૂરથી ચુંગથાંગ શહેર તારાજ

સિક્કિમમાં પૂરથી ચુંગથાંગ શહેર તારાજ

સિક્કિમમાં લહોનક સરોવર પર વાદળ ફાટતા તીસ્તા નદીમાં આવેલા પૂરે તબાહી મચાવી દીધી છે. આ દુર્ઘટના પછી 18 મૃતદેહ મળી ચૂક્યા છે. આ ઉપરાંત 30થી વધુ ઈજાગ્રસ્ત છે અને 98 લોકો હજુ લાપતા છે. લાપતા લોકોમાં ભારતીય સેનાના 22 જવાન પણ સામેલ છે. આ લોકોને શોધવા માટે તીસ્તા નદી અને ઉત્તર બંગાળના નીચલા હિસ્સામાં બચાવકાર્ય ચાલી રહ્યું છે. પાક્યોંગના જિલ્લા મેજિસ્ટ્રેટ તાશી ચોપેલે તમામ જવાનોના મૃત્યુ થયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું છે કે અત્યાર સુધી 2011 લોકોને બચાવી લેવાયા છે.

આ પૂરના કારણે 22 હજારથી પણ વધુ લોકોને અસર થઈ છે. વાદળ ફાટવાથી 11 પુલ પણ તૂટી પડ્યા છે. ચુંગથાંગ શહેર તો 80% જેટલું તારાજ થઈ ગયું છે. ખાસ કરીને રાજ્યના ચારજિલ્લા ગંગટોક, પાક્યોંગ, મંગન અને નામચીને સૌથી વધુ નુકસાન થયું છે. હાલ અહીં 26 રાહત શિબિર શરૂ કરાઈ છે. આ ચારેય જિલ્લામાં પાણીની પાઈપલાઈનો, સિવેજ લાઈન અને 300થી વધુ ઘર તબાહ થઈ ગયા છે. બીજી તરફ, રાજ્ય સરકારે લોકોને તીસ્તા નદીના કિનારાથી દૂર રહેવાની સલાહ આપી છે કારણ કે તેનું જળસ્તર વધી રહ્યું છે.

પૂરની સ્થિતિ જોતા સિક્કિમ શિક્ષણ વિભાગે 15મી ઓક્ટોબર સુધી તમામ સ્કૂલ-કોલેજ બંધ રાખવાનો આદેશ કર્યો છે. આ પહેલા આઠમી ઓક્ટોબર સુધી જ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો આદેશ હતો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow