Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
National

સિક્કિમમાં પૂરથી ચુંગથાંગ શહેર તારાજ

Gujaratnow1 min read
સિક્કિમમાં પૂરથી ચુંગથાંગ શહેર તારાજ

સિક્કિમમાં લહોનક સરોવર પર વાદળ ફાટતા તીસ્તા નદીમાં આવેલા પૂરે તબાહી મચાવી દીધી છે. આ દુર્ઘટના પછી 18 મૃતદેહ મળી ચૂક્યા છે. આ ઉપરાંત 30થી વધુ ઈજાગ્રસ્ત છે અને 98 લોકો હજુ લાપતા છે. લાપતા લોકોમાં ભારતીય સેનાના 22 જવાન પણ સામેલ છે. આ લોકોને શોધવા માટે તીસ્તા નદી અને ઉત્તર બંગાળના નીચલા હિસ્સામાં બચાવકાર્ય ચાલી રહ્યું છે. પાક્યોંગના જિલ્લા મેજિસ્ટ્રેટ તાશી ચોપેલે તમામ જવાનોના મૃત્યુ થયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું છે કે અત્યાર સુધી 2011 લોકોને બચાવી લેવાયા છે.

આ પૂરના કારણે 22 હજારથી પણ વધુ લોકોને અસર થઈ છે. વાદળ ફાટવાથી 11 પુલ પણ તૂટી પડ્યા છે. ચુંગથાંગ શહેર તો 80% જેટલું તારાજ થઈ ગયું છે. ખાસ કરીને રાજ્યના ચારજિલ્લા ગંગટોક, પાક્યોંગ, મંગન અને નામચીને સૌથી વધુ નુકસાન થયું છે. હાલ અહીં 26 રાહત શિબિર શરૂ કરાઈ છે. આ ચારેય જિલ્લામાં પાણીની પાઈપલાઈનો, સિવેજ લાઈન અને 300થી વધુ ઘર તબાહ થઈ ગયા છે. બીજી તરફ, રાજ્ય સરકારે લોકોને તીસ્તા નદીના કિનારાથી દૂર રહેવાની સલાહ આપી છે કારણ કે તેનું જળસ્તર વધી રહ્યું છે.

પૂરની સ્થિતિ જોતા સિક્કિમ શિક્ષણ વિભાગે 15મી ઓક્ટોબર સુધી તમામ સ્કૂલ-કોલેજ બંધ રાખવાનો આદેશ કર્યો છે. આ પહેલા આઠમી ઓક્ટોબર સુધી જ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો આદેશ હતો.

Gujaratnow1 min read

Related News