ચીનની દવાઓ બેઅસર, ઝેજિયાંગમાં એક દિવસમાં 10 લાખ કેસ

ચીનની દવાઓ બેઅસર, ઝેજિયાંગમાં એક દિવસમાં 10 લાખ કેસ

કોરોનાના કેસમાં વધારો થયા બાદ ચીને 24 ડિસેમ્બરે સરહદ સીલ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ હવે સરકારે 8 જાન્યુઆરીથી બોર્ડર ખોલવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ક્વોરેન્ટીન પણ દૂર કરવામાં આવશે. આનાથી સ્પષ્ટ છે કે સરકાર હવે કોરોનાને સામાન્ય ફ્લૂ માની રહી છે.જ્યારે ચીનના ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. અહીં એક દિવસમાં કોરોનાના 10 લાખ નવા કેસ મળી રહ્યા છે.

બીજી તરફ, ચીને નિર્ણય લીધો છે કે તે કોરોના સામે લડવા માટે ફાઈઝરની કોવિડ દવાનો ઉપયોગ કરવાનું શરૂ કરશે. સીએનએનના અહેવાલ મુજબ, આવનારા કેટલાક દિવસોમાં, ચીનના આરોગ્ય કેન્દ્રો પર અમેરિકી કંપનની દવા ફાઈઝરની પેક્સલોવિડ કોવિડ દવાનો ઉપયોગ શરૂ કરવામાં આવશે. આની સંપૂર્ણ ટ્રેનિંગ લીધા પછી, કમ્યુનિટી ડૉક્ટરો કોરોનાના દર્દીઓને આ દવા આપશે.

જાન્યુઆરી 2020થી ચીનમાં કોરોનાને A કેટેગરીનો રોગ માનવામાં આવતો હતો. ગ્વાંગડોંગ, ફુજિયન અને જિઆંગસુના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને રાષ્ટ્રીય આરોગ્ય આયોગ દ્વારા 8 જાન્યુઆરીથી વાઇરસને B કેટેગરીમાં ડાઉનગ્રેડ કરવાનું કહેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં RT-PCR ટેસ્ટની પણ જરૂર રહેશે નહીં. આ નિર્ણયથી સ્પષ્ટ છે કે ચીનની સરકારે સ્વીકારી લીધું છે કે હવે તેણે વાઇરસ સાથે જીવવું પડશે.

ચીનના નેશનલ હેલ્થ કમિશને પણ 24 ડિસેમ્બરે કહ્યું હતું કે તે હવે કોરોના કેસ વિશે માહિતી આપશે નહીં. કોરોના સામે લડવા માટેની સમિતિના વડા સન ચુનલાન કહે છે કે દેશમાં કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ નબળું પડી ગયું છે. હવે આનાથી કોઈ ખતરો નથી. એડવાઈઝરી જારી કરીને સરકાર કહી રહી છે કે કોરોનાનું જોખમ નહિવત્ છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow