બાળકોનો ભણતરની સાથે સર્વાંગી વિકાસ થવો જોઈએ - ભાનુબેન

બાળકોનો ભણતરની સાથે સર્વાંગી વિકાસ થવો જોઈએ - ભાનુબેન

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ રાજકોટની ધોળકિયા સ્કૂલ ખાતે યોજાયો હતો. આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થયું હતું.

આ તકે મંત્રીએ કહ્યું હતું કે, બાળકોનો ભણતરની સાથોસાથ સર્વાંગી વિકાસ થવો જોઈએ. બાળકોને અભ્યાસ અંગે વધુ પડતું દબાણ આપવાના બદલે તેની આવડત ખીલે તે દિશામાં પ્રયત્નો કરવા જોઇએ. આ તકે સાંસદ મોહનભાઇ કુંડારિયાએ પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યું હતું કે, પરીક્ષા અંગે કોઇ પણ વિદ્યાર્થીના માનમાં ભાર ન રહેવો જોઈએ.

બાળકો ભાર વગરનું શિક્ષણ મેળવે તે માટે દેશની નવી શિક્ષણ નીતિ બની છે. કલેક્ટર અરુણ મહેશ બાબુએ પ્રાસંગિક પ્રવચન કરતાં કહ્યું હતું કે, અમારા સમયમાં આ પ્રકારનું કારકિર્દી કે પરીક્ષાનું માર્ગદર્શન નહોતું મળતું. આજના બાળકોને એ મળી રહ્યું છે ત્યારે તેનો લાભ લઈ બાળકોએ અભ્યાસ માટે વધુ મહેનત કરવી જોઈએ.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow