છેલ્લા 52 વર્ષમાં વિશ્વભરમાં 69% વન્ય પ્રાણીઓનો સફાયો થઈ ગયો

છેલ્લા 52 વર્ષમાં વિશ્વભરમાં 69% વન્ય પ્રાણીઓનો સફાયો થઈ ગયો

1970થી લઈ અત્યાર સુધી વિશ્વભરમાં બે તૃતીયાંશ વન્યજીવ વસતિ નષ્ટ થઈ ચૂકી છે. એટલે કે 69 ટકા વન્ય જીવ (પ્રાણીઓ અને છોડ) ધરતી અને સમુદ્રમાંથી વિલુપ્ત થઈ ગયાં છે. આ ડરામણો અહેવાલ વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ (WWF) એ પ્રકાશિત કર્યો છે. તેની પાછળ મુખ્યત્વે જળવાયુ પરિવર્તન, જંગલનો વિનાશ અને પ્રદૂષણ જવાબદાર છે.

રસપ્રદ વાત એ છે કે માનવી દર મિનિટે 27 ફૂટબોલ મેદાન જેટલાં જંગલોનો વિનાશ કરી રહ્યો છે. માનવીઓ જંગલોનો વિનાશ કરી કોન્ક્રિટનાં જંગલ બનાવી રહ્યા છે. જ્યારે તેના આ વિકાસના કારણે વન્યજીવ જિંદગી અને મોત વચ્ચેની જંગ લડી રહ્યા છે. ઘણાં પ્રાણીઓ તો ઝેરી હવા, પ્રદૂષિત નદીના કારણે મૃત્યુ પામ્યાં છે. પ્રાણીઓ અને છોડની લાખો પ્રજાતિઓ વિલુપ્ત થવાના આરે છે. માનવી પોતાના સ્વાર્થ માટે વન્યજીવનો સર્વનાશ કરી રહ્યો છે.

WWF એ ઝુઓલોજિકલ સોસાયટી ઓફ લંડન (ZSL)ના ડેટાનો ઉપયોગ કરી આ અહેવાલ તૈયાર કર્યો છે. ZSLના ડાયરેક્ટર એન્ડ્રયુ ટેરીએ કહ્યું કે 69 ટકા વસતિનો નાશ થવો એ ખૂબ જ ખતરનાક છે. આપણે આપણી દુનિયાને ખતમ કરી રહ્યા છે.

ZSLના ડેટા મુજબ 5000થી વધુ પ્રજાતિઓના 32 જંગલી જીવોની વસતિમાં 69 ટકાનો ઘટાડો થયો છે. તેની પાછળ સૌથી મોટું કારણ ક્લાઈમેટ ચેન્જ, પ્રાકૃતિક સ્થળો પર માનવીની ઘૂસણખોરી, પ્રદૂષણ અને જંગલોનો નાશ છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow