છેલ્લા 52 વર્ષમાં વિશ્વભરમાં 69% વન્ય પ્રાણીઓનો સફાયો થઈ ગયો

છેલ્લા 52 વર્ષમાં વિશ્વભરમાં 69% વન્ય પ્રાણીઓનો સફાયો થઈ ગયો

1970થી લઈ અત્યાર સુધી વિશ્વભરમાં બે તૃતીયાંશ વન્યજીવ વસતિ નષ્ટ થઈ ચૂકી છે. એટલે કે 69 ટકા વન્ય જીવ (પ્રાણીઓ અને છોડ) ધરતી અને સમુદ્રમાંથી વિલુપ્ત થઈ ગયાં છે. આ ડરામણો અહેવાલ વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ (WWF) એ પ્રકાશિત કર્યો છે. તેની પાછળ મુખ્યત્વે જળવાયુ પરિવર્તન, જંગલનો વિનાશ અને પ્રદૂષણ જવાબદાર છે.

રસપ્રદ વાત એ છે કે માનવી દર મિનિટે 27 ફૂટબોલ મેદાન જેટલાં જંગલોનો વિનાશ કરી રહ્યો છે. માનવીઓ જંગલોનો વિનાશ કરી કોન્ક્રિટનાં જંગલ બનાવી રહ્યા છે. જ્યારે તેના આ વિકાસના કારણે વન્યજીવ જિંદગી અને મોત વચ્ચેની જંગ લડી રહ્યા છે. ઘણાં પ્રાણીઓ તો ઝેરી હવા, પ્રદૂષિત નદીના કારણે મૃત્યુ પામ્યાં છે. પ્રાણીઓ અને છોડની લાખો પ્રજાતિઓ વિલુપ્ત થવાના આરે છે. માનવી પોતાના સ્વાર્થ માટે વન્યજીવનો સર્વનાશ કરી રહ્યો છે.

WWF એ ઝુઓલોજિકલ સોસાયટી ઓફ લંડન (ZSL)ના ડેટાનો ઉપયોગ કરી આ અહેવાલ તૈયાર કર્યો છે. ZSLના ડાયરેક્ટર એન્ડ્રયુ ટેરીએ કહ્યું કે 69 ટકા વસતિનો નાશ થવો એ ખૂબ જ ખતરનાક છે. આપણે આપણી દુનિયાને ખતમ કરી રહ્યા છે.

ZSLના ડેટા મુજબ 5000થી વધુ પ્રજાતિઓના 32 જંગલી જીવોની વસતિમાં 69 ટકાનો ઘટાડો થયો છે. તેની પાછળ સૌથી મોટું કારણ ક્લાઈમેટ ચેન્જ, પ્રાકૃતિક સ્થળો પર માનવીની ઘૂસણખોરી, પ્રદૂષણ અને જંગલોનો નાશ છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow