જનતા માર્કેટની 120 દુકાનમાં 14 ટીમનું ચેકિંગ, 500 ફોન બિલ વગરના મળ્યા

જનતા માર્કેટની 120 દુકાનમાં 14 ટીમનું ચેકિંગ, 500 ફોન બિલ વગરના મળ્યા

સુરત શહેરમાં સેકન્ડ હેન્ડ મોબાઇલ વેચાણનું હબ ગણાતા જનતા માર્કેટમાં શુક્રવારે બપોરે ક્રાઇમબ્રાંચે 15 પોલીસ અધિકારીઓ સાથે 14થી વધુ ટીમો બનાવી 120 દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

શહેરના ભાગાતળાવ જનતા માર્કેટમાં ચોરીના મોબાઇલ વેચાણ થતા હોવાની ફરિયાદો મળી હતી. જેને લઈ ક્રાઇમબ્રાંચના એડીશનલ પોલીસ કમિશનર શરદ સીંઘલ, મહિલા ડીસીપી રૂપલ સોલંકી અને એસીપી બી.પી.રોજીયા તેમજ પીઆઈ વાગડીયા સહિત તમામ પીઆઈ તેમજ પીએસઆઈએ સ્ટાફ સાથે ટીમો બનાવી જનતા માર્કેટમાં ચેકિંગ કર્યું હતું.

દુકાનોમાંથી લગભગ 500થી વધુ મોબાઇલ બીલ વગરના મળી આવ્યા હતા. પોલીસે બીલ વગરના મોબાઇલનું વેરિફિકેશન કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. બીલ વગરના મોબાઇલ કદાચ ચોરીના હશે તો તે દુકાનદાર સામે ચોરીનો ગુનો દાખલ કરવામાં આવશે.

ડીસીબીના સ્ટાફે ચેકિંગની કામગીરી શુક્રવારે મોડીસાંજ સુધી કરી હતી. ખાસ કરીને પોલીસે બીલ વગરના મોબાઇલમાં આઈએમઈઆઈ નંબર સાથે છેડછાડ કરવામાં આવી છે કે કેમ તે બાબતે ટેક્નિકલ સ્ટાફે તપાસ શરૂ કરી છે. ક્રાઇમબ્રાંચે અચાનક જનતા માર્કેટમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાય ગયો હતો.

જનતા માર્કેટમાં તો કેટલાક વેપારીઓ તો ચોરીના મોબાઇલ વેચાણ કરવાની સાથે મોબાઇલની ડુપ્લીકેટ એસેસરીઝ અને સ્પેરપાર્ટસ પણ વેચાણ કરતા હોવાની વાત છે. આ બાબતે પણ ક્રાઇમબ્રાંચે ચેકિંગ કરવાની જરૂર છે. થોડા દિવસો પહેલા ક્રાઇમબ્રાંચે રાંદેર વિસ્તારોમાંથી બીલ વગરના લાખોની કિંમતના આઈફોન પકડી પાડ્યા હતા.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow