જનતા માર્કેટની 120 દુકાનમાં 14 ટીમનું ચેકિંગ, 500 ફોન બિલ વગરના મળ્યા

જનતા માર્કેટની 120 દુકાનમાં 14 ટીમનું ચેકિંગ, 500 ફોન બિલ વગરના મળ્યા

સુરત શહેરમાં સેકન્ડ હેન્ડ મોબાઇલ વેચાણનું હબ ગણાતા જનતા માર્કેટમાં શુક્રવારે બપોરે ક્રાઇમબ્રાંચે 15 પોલીસ અધિકારીઓ સાથે 14થી વધુ ટીમો બનાવી 120 દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

શહેરના ભાગાતળાવ જનતા માર્કેટમાં ચોરીના મોબાઇલ વેચાણ થતા હોવાની ફરિયાદો મળી હતી. જેને લઈ ક્રાઇમબ્રાંચના એડીશનલ પોલીસ કમિશનર શરદ સીંઘલ, મહિલા ડીસીપી રૂપલ સોલંકી અને એસીપી બી.પી.રોજીયા તેમજ પીઆઈ વાગડીયા સહિત તમામ પીઆઈ તેમજ પીએસઆઈએ સ્ટાફ સાથે ટીમો બનાવી જનતા માર્કેટમાં ચેકિંગ કર્યું હતું.

દુકાનોમાંથી લગભગ 500થી વધુ મોબાઇલ બીલ વગરના મળી આવ્યા હતા. પોલીસે બીલ વગરના મોબાઇલનું વેરિફિકેશન કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. બીલ વગરના મોબાઇલ કદાચ ચોરીના હશે તો તે દુકાનદાર સામે ચોરીનો ગુનો દાખલ કરવામાં આવશે.

ડીસીબીના સ્ટાફે ચેકિંગની કામગીરી શુક્રવારે મોડીસાંજ સુધી કરી હતી. ખાસ કરીને પોલીસે બીલ વગરના મોબાઇલમાં આઈએમઈઆઈ નંબર સાથે છેડછાડ કરવામાં આવી છે કે કેમ તે બાબતે ટેક્નિકલ સ્ટાફે તપાસ શરૂ કરી છે. ક્રાઇમબ્રાંચે અચાનક જનતા માર્કેટમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાય ગયો હતો.

જનતા માર્કેટમાં તો કેટલાક વેપારીઓ તો ચોરીના મોબાઇલ વેચાણ કરવાની સાથે મોબાઇલની ડુપ્લીકેટ એસેસરીઝ અને સ્પેરપાર્ટસ પણ વેચાણ કરતા હોવાની વાત છે. આ બાબતે પણ ક્રાઇમબ્રાંચે ચેકિંગ કરવાની જરૂર છે. થોડા દિવસો પહેલા ક્રાઇમબ્રાંચે રાંદેર વિસ્તારોમાંથી બીલ વગરના લાખોની કિંમતના આઈફોન પકડી પાડ્યા હતા.

Read more

સગીર પર અત્યાચાર મામલે DGPને માનવ અધિકાર પંચની નોટિસ

સગીર પર અત્યાચાર મામલે DGPને માનવ અધિકાર પંચની નોટિસ

રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક સગીર સાથે એક વ્યક્તિ દ્વારા અમાનવીય કૃત્ય કરાતું હોવાનો વીડિયો વાઈરલ થયા બાદ માનવ અધિકાર

By Gujaratnow
સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયનની વાઈબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાશે

સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયનની વાઈબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાશે

સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયનની વાઈબ્રન્ટ સમિટ 8 અને 9 જાન્યુઆરીએ રાજકોટમાં યોજવાનો નિર્ણય કરાયો છે. સમિટના સ્થળની પસંદગી હવે કરાશે.સૌરાષ્ટ્ર ઝો

By Gujaratnow
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રપ્રથમના ભાવને ઉજાગર કરતી ‘મેરા દેશ પહલે’ની પ્રસ્તુતિએ ગુજરાતમાં જગાવી નવા ભારતની ભાવના

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રપ્રથમના ભાવને ઉજાગર કરતી ‘મેરા દેશ પહલે’ની પ્રસ્તુતિએ ગુજરાતમાં જગાવી નવા ભારતની ભાવના

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આકાર લઇ રહેલા નવા ભારતના રૂપાંતરણની રોમાંચક કહાની ‘મેરા દેશ પહલે’નો ગુજરાતમાં સૌપ્રથમ ભવ્ય શો શુ

By Gujaratnow