સુરતમાં વાતાવરણમાં પલટો, મેઘાવી માહોલ સર્જાયો,અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી

સુરતમાં વાતાવરણમાં પલટો, મેઘાવી માહોલ સર્જાયો,અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી

માર્ચ મહિનામાં ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે. તેને બદલે આ વખતે સતત વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. માર્ચ મહિનામાં ત્રીજી વખત વાતાવરણમાં પલટો આવ્યો છે. તેના કારણે શહેરભરમાં અને જિલ્લામાં છૂટો છવાયો વરસાદ શરૂ થયો છે. માવઠાંના કારણે ખેડૂતોમાં ઉભા પાકને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.  

શહેરમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે

કમોસમી વરસાદના માહોલથી ખેડૂતોમાં ચિંતા
હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને સુરત શહેરમાં દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. તો બીજી તરફ મોડી રાતે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. માર્ચ મહિનામાં સમયાંતરે થતા વરસાદને કારણે ખેડૂતો વધુ ચિંતિત થયા છે. ઉનાળાની શરૂઆત થવાને બદલે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે.

બાગાયતી પાકોને નુકસાન
ખેડૂત સમાજ પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું કે, સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે બાગાયતી પાકોને નુકસાન થઈ રહ્યું છે. માર્ચ મહિનામાં જે પ્રકારે કેરીનો પાક ખૂબ મોટા પ્રમાણમાં આવતો હોય છે. પરંતુ એક બાદ એક માવઠા હોવાને કારણે સંપૂર્ણ રીતે કેરીનો પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. લાખો કરોડો રૂપિયાનું બાગાયતી પાકોનું નુકસાન દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ સહન કરવું પડશે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow