ચંદ્રયાન-3 આજે લોન્ચ થશે

ચંદ્રયાન-3 આજે લોન્ચ થશે

ભારત ચંદ્રયાન-2ના લોન્ચિંગના 3 વર્ષ, 11 મહિના અને 23 દિવસ પછી આજે ચંદ્રયાન-3 મિશન લોન્ચ કરશે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી બપોરે 2.35 કલાકે LVM3-M4 રોકેટ દ્વારા તેને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. આ મિશન દ્વારા ભારત દુનિયાને પોતાની સ્પેસ પાવર બતાવવા માંગે છે. જો આ મિશન સફળ થશે તો ભારત આવું કરનાર અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો દેશ બની જશે.

ચંદ્રયાન-3 અવકાશયાનમાં ત્રણ લેન્ડર/રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે. લગભગ 40 દિવસ પછી એટલે કે 23 કે 24 ઓગસ્ટે લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. આ બંને 14 દિવસ સુધી ચંદ્ર પર પ્રયોગ કરશે, જ્યારે પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરશે. મિશન દ્વારા, ISRO એ શોધી કાઢશે કે ચંદ્રની સપાટી કેટલી સિસ્મિક છે, માટી અને ધૂળનો અભ્યાસ કરવામાં આવશે.

ચંદ્રયાન-3 આદિપુરુષ ફિલ્મના બજેટ કરતા સસ્તું
ચંદ્રયાન-3નું બજેટ લગભગ 615 કરોડ રૂપિયા છે જ્યારે તાજેતરની ફિલ્મ આદિપુરુષની કોસ્ટ 700 કરોડ રૂપિયા હતી. એટલે કે ચંદ્રયાન-3 આ ફિલ્મની કિંમત કરતાં લગભગ 85 કરોડ રૂપિયા સસ્તું છે. આના 4 વર્ષ પહેલા મોકલવામાં આવેલ ચંદ્રયાન 2 ની કિંમત પણ 603 કરોડ રૂપિયા હતી. જો કે, તેના લોન્ચિંગ પર પણ 375 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

લોન્ચિંગ ઓનલાઈન અને ટીવી પર લાઈવ જોઈ શકશે
ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ ઈસરોની સત્તાવાર વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ પર લાઈવ બતાવવામાં આવશે. તમે દૂરદર્શન પર ચંદ્રયાન-3નું લાઈવ પ્રક્ષેપણ પણ જોઈ શકો છો. જે લોકો સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે લોન્ચ વ્યુ ગેલેરીમાંથી પ્રક્ષેપણને લાઈવ જોવા માગે છે તેમના માટે સ્પેસ એજન્સીએ ivg.shar.gov.in/ પર રજીસ્ટ્રેશન શરૂ કર્યું હતું. હવે રજીસ્ટ્રેશન બંધ છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow