ચંદ્રયાન-3 આજે લોન્ચ થશે

ચંદ્રયાન-3 આજે લોન્ચ થશે

ભારત ચંદ્રયાન-2ના લોન્ચિંગના 3 વર્ષ, 11 મહિના અને 23 દિવસ પછી આજે ચંદ્રયાન-3 મિશન લોન્ચ કરશે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી બપોરે 2.35 કલાકે LVM3-M4 રોકેટ દ્વારા તેને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. આ મિશન દ્વારા ભારત દુનિયાને પોતાની સ્પેસ પાવર બતાવવા માંગે છે. જો આ મિશન સફળ થશે તો ભારત આવું કરનાર અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો દેશ બની જશે.

ચંદ્રયાન-3 અવકાશયાનમાં ત્રણ લેન્ડર/રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે. લગભગ 40 દિવસ પછી એટલે કે 23 કે 24 ઓગસ્ટે લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. આ બંને 14 દિવસ સુધી ચંદ્ર પર પ્રયોગ કરશે, જ્યારે પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરશે. મિશન દ્વારા, ISRO એ શોધી કાઢશે કે ચંદ્રની સપાટી કેટલી સિસ્મિક છે, માટી અને ધૂળનો અભ્યાસ કરવામાં આવશે.

ચંદ્રયાન-3 આદિપુરુષ ફિલ્મના બજેટ કરતા સસ્તું
ચંદ્રયાન-3નું બજેટ લગભગ 615 કરોડ રૂપિયા છે જ્યારે તાજેતરની ફિલ્મ આદિપુરુષની કોસ્ટ 700 કરોડ રૂપિયા હતી. એટલે કે ચંદ્રયાન-3 આ ફિલ્મની કિંમત કરતાં લગભગ 85 કરોડ રૂપિયા સસ્તું છે. આના 4 વર્ષ પહેલા મોકલવામાં આવેલ ચંદ્રયાન 2 ની કિંમત પણ 603 કરોડ રૂપિયા હતી. જો કે, તેના લોન્ચિંગ પર પણ 375 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

લોન્ચિંગ ઓનલાઈન અને ટીવી પર લાઈવ જોઈ શકશે
ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ ઈસરોની સત્તાવાર વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ પર લાઈવ બતાવવામાં આવશે. તમે દૂરદર્શન પર ચંદ્રયાન-3નું લાઈવ પ્રક્ષેપણ પણ જોઈ શકો છો. જે લોકો સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે લોન્ચ વ્યુ ગેલેરીમાંથી પ્રક્ષેપણને લાઈવ જોવા માગે છે તેમના માટે સ્પેસ એજન્સીએ ivg.shar.gov.in/ પર રજીસ્ટ્રેશન શરૂ કર્યું હતું. હવે રજીસ્ટ્રેશન બંધ છે.

Read more

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow
સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે (31

By Gujaratnow