Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
Politics

મહારાષ્ટ્ર સરકારને પડકાર

Gujaratnow1 min read
મહારાષ્ટ્ર સરકારને પડકાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે વિનાયક દામોદર સાવરકર પર નિશાન સાધતા કહ્યું કે, તેમણે બ્રિટિશ શાસકોને મદદ કરી હતી અને ડરીને દયાની અરજી પણ કરી હતી. તેમણે ભારત જોડો યાત્રામાં સરકારી રેકોર્ડ બતાવીને દાવો કર્યો કે, વીર સાવરકરે અંગ્રેજોને લખેલો એક પત્ર પણ છે, જેમાં લખ્યું છે કે હું તમારો આજ્ઞાકારી સેવક બનીને રહેવા માંગુ છું. આ પત્ર પર સાવરકરના હસ્તાક્ષર પણ છે. તેનાથી સાબિત થાય છે કે, તેમણે અંગ્રેજોની મદદ કરી હતી. આ અંગે ગાંધીજીએ કહ્યું હતું કે, મારા વિચાર પ્રમાણે, સાવરકરે ડરીને આ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે અને મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને નહેરુ સાથે છેતરપિંડી કરી છે.

ભાજપની પ્રતિક્રિયા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, જો સરકારને લાગે છે કે, આ યાત્રાથી દેશને નુકસાન થઈ રહ્યું છે, તો તેઓ તે રોકીને જોઈ લે. ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ભારતમાં છેલ્લા આઠ વર્ષથી ડરનો માહોલ છે. તેની વિરુદ્ધ લડવા માટે અમે યાત્રા શરૂ કરી છે. બીજી તરફ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધીના સાવરકર અંગેના નિવેદનનો વિરોધ કરતા કહ્યું છે કે, તમારામાં હિંમત હોય તો ભારત જોડો યાત્રા રોકીને બતાવો.

Gujaratnow1 min read

Related News