મહારાષ્ટ્ર સરકારને પડકાર

મહારાષ્ટ્ર સરકારને પડકાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે વિનાયક દામોદર સાવરકર પર નિશાન સાધતા કહ્યું કે, તેમણે બ્રિટિશ શાસકોને મદદ કરી હતી અને ડરીને દયાની અરજી પણ કરી હતી. તેમણે ભારત જોડો યાત્રામાં સરકારી રેકોર્ડ બતાવીને દાવો કર્યો કે, વીર સાવરકરે અંગ્રેજોને લખેલો એક પત્ર પણ છે, જેમાં લખ્યું છે કે હું તમારો આજ્ઞાકારી સેવક બનીને રહેવા માંગુ છું. આ પત્ર પર સાવરકરના હસ્તાક્ષર પણ છે. તેનાથી સાબિત થાય છે કે, તેમણે અંગ્રેજોની મદદ કરી હતી. આ અંગે ગાંધીજીએ કહ્યું હતું કે, મારા વિચાર પ્રમાણે, સાવરકરે ડરીને આ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે અને મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને નહેરુ સાથે છેતરપિંડી કરી છે.

ભાજપની પ્રતિક્રિયા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, જો સરકારને લાગે છે કે, આ યાત્રાથી દેશને નુકસાન થઈ રહ્યું છે, તો તેઓ તે રોકીને જોઈ લે. ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ભારતમાં છેલ્લા આઠ વર્ષથી ડરનો માહોલ છે. તેની વિરુદ્ધ લડવા માટે અમે યાત્રા શરૂ કરી છે. બીજી તરફ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધીના સાવરકર અંગેના નિવેદનનો વિરોધ કરતા કહ્યું છે કે, તમારામાં હિંમત હોય તો ભારત જોડો યાત્રા રોકીને બતાવો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow