મહારાષ્ટ્ર સરકારને પડકાર

મહારાષ્ટ્ર સરકારને પડકાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે વિનાયક દામોદર સાવરકર પર નિશાન સાધતા કહ્યું કે, તેમણે બ્રિટિશ શાસકોને મદદ કરી હતી અને ડરીને દયાની અરજી પણ કરી હતી. તેમણે ભારત જોડો યાત્રામાં સરકારી રેકોર્ડ બતાવીને દાવો કર્યો કે, વીર સાવરકરે અંગ્રેજોને લખેલો એક પત્ર પણ છે, જેમાં લખ્યું છે કે હું તમારો આજ્ઞાકારી સેવક બનીને રહેવા માંગુ છું. આ પત્ર પર સાવરકરના હસ્તાક્ષર પણ છે. તેનાથી સાબિત થાય છે કે, તેમણે અંગ્રેજોની મદદ કરી હતી. આ અંગે ગાંધીજીએ કહ્યું હતું કે, મારા વિચાર પ્રમાણે, સાવરકરે ડરીને આ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે અને મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને નહેરુ સાથે છેતરપિંડી કરી છે.

ભાજપની પ્રતિક્રિયા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, જો સરકારને લાગે છે કે, આ યાત્રાથી દેશને નુકસાન થઈ રહ્યું છે, તો તેઓ તે રોકીને જોઈ લે. ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ભારતમાં છેલ્લા આઠ વર્ષથી ડરનો માહોલ છે. તેની વિરુદ્ધ લડવા માટે અમે યાત્રા શરૂ કરી છે. બીજી તરફ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધીના સાવરકર અંગેના નિવેદનનો વિરોધ કરતા કહ્યું છે કે, તમારામાં હિંમત હોય તો ભારત જોડો યાત્રા રોકીને બતાવો.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow