38 લાખ કરોડની માર્કેટકેપ ધરાવતી 72 કંપનીના CEO બદલાશે

38 લાખ કરોડની માર્કેટકેપ ધરાવતી 72 કંપનીના CEO બદલાશે

દેશની ટોચની કંપનીઓમાં આવનાર સમયમાં મોટા પાયે બદલાવ જોવા મળી શકે છે. 38 લાખ કરોડથી વધુની માર્કેટ કેપ ધરાવતી અનેક કંપનીઓ પરિવર્તન લાવી રહી છે. દેશના કોર્પોરેટ સેક્ટરમાં લીડરશિપ લેવલ પર મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ડિસેમ્બર સુધીમાં 72 કંપનીઓના સીઇઓ બદલાઇ જશે. જેમાં ટીસીએસ, એસબાઇઆઇ,કોટક મહિન્દ્રા બેંક, HUL, HDFC લિમિટેડ, ICICI પ્રુડે. અને ટેક મહિન્દ્રાનો સમાવેશ થાય છે.

જેફરીઝ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર ભારતીય કોર્પોરેટે આ મામલે યુ-ટર્ન લીધો છે. કોવિડ મહામારી દરમિયાન ભાગ્યે જ કોઈ મોટી કંપનીએ સીઇઓ સ્તર પર નેતૃત્વ બદલ્યું છે. ભૌગોલિક પરિસ્થિતિને કારણે કોર્પોરેટ ક્ષેત્ર બદલાયેલા માહોલનો સામનો કરી રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી કેટલીક કંપનીઓએ નેતૃત્વમાં પરિવર્તન કર્યું છે.

કોર્પોરેટ સેક્ટરમાં થઇ રહેલા બદલાવ પર કરવામાં આવેલ સ્ટડી અહેવાલ સૂચવે છે કે રોકાણકારોએ જે કંપનીઓના સીઇઓ બદલાવાના છે તેના શેર માટે તેમના પોર્ટફોલિયોમાં ફેરફાર કરવાની જરૂર નથી. જોકે આ કંપનીઓને લગતી અન્ય બાબતોના આધારે પોર્ટફોલિયોમાં ફેરફાર કરી શકાય છે.

જૂન માસથી આ કંપનીઓમાં જોવા મળશે નવા બોસ

કે કૃતિવાસન 1 જૂને ટીસીએસના સીઇઓ અને MD તરીકેનો કાર્યભાર સંભાળશે.
રોહિત જાવા 27 જૂને હિન્દુસ્તાન યુનિલિવરના નવા CEO અને MD બનશે.
એસબીઆઇના ચેરમેન દિનેશ ખારાનો કાર્યકાળ ઓક્ટોબરમાં પૂરો થશે.
કોટક મહિન્દ્રા બેંકના MD-સીઇઓ ઉદય કોટક 31 ડિસેમ્બરે નિવૃત્ત થશે.
HDFC બેંક સાથે મર્જર થયા બાદ HDFC લિમિટેડને આ વર્ષે નવા બોસ મળશે

Read more

રાજકોટ હીરાસર એરપોર્ટ પર પાર્કિંગના નામે થતાં ઉઘરાણાં બંધ

રાજકોટ હીરાસર એરપોર્ટ પર પાર્કિંગના નામે થતાં ઉઘરાણાં બંધ

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્કિંગના નામે ઉઘરાણાં હવે બંધ થશે, કારણ કે એરપોર્ટ ઓથોરિટી દ્વારા પાર્કિંગ રેટનું બોર્ડ મૂકવામાં આવ્યું છે, જે

By Gujaratnow
'દયાભાભી' બાદ શું 'જેઠાલાલ'એ પણ 'તારક મહેતા...' છોડ્યો?

'દયાભાભી' બાદ શું 'જેઠાલાલ'એ પણ 'તારક મહેતા...' છોડ્યો?

તાજેતરમાં ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વિશે કેટલીક અટકળો ચાલી રહી હતી કે દિલીપ જોશી (જેઠાલાલ) અને મુનમુન દત્તા (બબીતાજી)એ શો

By Gujaratnow