રૅશન જ નહીં ફ્રી ડિશ TV પણ આપશે કેન્દ્ર સરકાર, જાણો કોને મળશે લાભ

રૅશન જ નહીં ફ્રી ડિશ TV પણ આપશે કેન્દ્ર સરકાર, જાણો કોને મળશે લાભ

કેન્દ્ર સરકાર દ્વારા લોકોને રહેવા માટે ઘર અને ભોજન માટે રાશન તો આપવામાં આવે છે પણ હવે સરકારે નિર્ણય લીધો છે કે લોકોના મનોરંજન માટે ડીશ ટીવી પણ આપવામાં આવશે.જણાવી દઈએ કે આ માટે એક યોજના તૈયાર કરી લેવામાં આવી છે, જેના પર લગભગ 2539 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયોની હાલત સુધારવાની દિશામાં સરકારે આ યોજના લોન્ચ કરી છે.

કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ લોકોને ફ્રીમાં ડિશ ટીવી આપવામાં આવશે જેમાં લોકો કોઈપણ ખર્ચ વિના તેમની મનપસંદ ચેનલ જોઈ શકશે, જે આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે.

જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયોની સ્થિતિમાં સુધાર લાવવા માટે આ પહેલ કરી છે જેમાં કુલ 2539 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને તેને બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ નામ આપવામાં આવ્યું છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા પણ તેને મંજૂરી આપવામાં આવી છે. 2025-26 સુધી આ યોજનાનો લાભ લઈ શકાય છે અને આગળ જતાં તેને વધારી પણ શકાય છે.

BIND યોજના હેઠળ ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારો, સરહદ અને વ્યૂહાત્મક વિસ્તારો સહિત તેમની પહોંચને વિસ્તૃત કરીને શ્રોતાઓ અને દર્શકોને ઉચ્ચ ગુણવત્તાનું કન્ટેન્ટ પ્રદાન કરવામાં આવશે. જણાવી દઈએ કે દૂરદર્શન 28 પ્રાદેશિક ચેનલો સહિત 36 ટીવી ચેનલોનું સંચાલન કરે છે અને ઓલ ઈન્ડિયા રેડિયો 500 થી વધુ બ્રોડકાસ્ટિંગ સ્ટેશનોનું સંચાલન કરે છે.આ યોજના દેશમાં AIR FM ટ્રાન્સમિટર્સનો કવરેજ ભૌગોલિક રીતે 59 ટકાથી વધારીને 66 ટકા અને વસ્તી મુજબ 68 ટકાથી 80 ટકા સુધી વધારશે.

આ યોજના દૂરસ્થ, આદિવાસી, LWE પ્રભાવિત અને સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને 8 લાખથી વધુ ડીડી ફ્રી ડીશ એસટીબીના મફત વિતરણની પણ કલ્પના કરે છે. બ્રોડકાસ્ટિંગના કવરેજને વધારવા ઉપરાંત પ્રસારણ સાધનોના સપ્લાય અને ઇન્સ્ટોલેશનને લગતી ઉત્પાદન અને સેવાઓ દ્વારા પરોક્ષ રોજગાર પેદા કરવાની પણ શક્યતા છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow