આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર નિયંત્રણ મૂકવાની કેન્દ્રની તૈયારી

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર નિયંત્રણ મૂકવાની કેન્દ્રની તૈયારી

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઇને સરકારે પોતાના વલણની સ્પષ્ટતા કરી છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે સરકાર એ સુનિશ્ચિત કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે નિયમ બનાવશે કે તે ડિજિટલ નાગરિકોને નુકસાન ન પહોંચાડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 9 વર્ષમાં આધુનિકીકરણના મામલે ભારતની સફર પર વાત કરી હતી. તેમણે કહ્યું કે ઇન્ટરનેટ પર ગુનાખોરીમાં ખૂબ જ વધારો થયો છે.

આપણે ડિજિટલ નાગરિકોને નુકસાન પહોંચાડવાના પ્રયાસને સફળ થવા નહીં દઇએ. 85 કરોડ ભારતીય ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જે 2025 સુધી 120 કરોડ પર પહોંચવાની આશા છે. આઇટી મંત્રીએ કહ્યું કે એઆઇના ખતરાથી ડરવાની જરૂર નથી. આગામી કેટલાંક વર્ષોમાં નોકરી ગુમાવવાનો ડર પણ નિરાધાર છે. અત્યારે, એઆઇને કારણે નોકરી પર કોઇ ખતરો નથી.

સંસદમાં ટૂંક સમયમાં ડેટા પ્રોટેક્શન બિલ રજૂ થશે
ડૉકિંગ (ખોટા હેતુથી અથવા કોઇની અનુમતિ વગર ઇન્ટરનેટ પર વ્યક્તિઓની ખાનગી જાણકારી પોસ્ટ કરવી) જેવા ગુના વધ્યા છે, કાયદો-વ્યવસ્થા રાજ્યનો વિષય છે અને કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર સાથે વધુ સારી રીતે કામ કરવું પડશે, તે અંગે પહેલ કરવી પડશે. કૌશલ્ય વિકાસ, ઇલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી ચંદ્રશેખરે કહ્યું કે આ મહિને જ ડિજિટલ ઇન્ડિયા બિલ પર ચર્ચા-વિચારણા શરૂ કરાશે. નવું પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પણ ટૂંક સમયમાં સંસદમાં રજૂ થશે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow