રાજકોટની કોલેજમાં ચાલતું આંબેડકર યુનિ.નું સેન્ટર બંધ

રાજકોટની કોલેજમાં ચાલતું આંબેડકર યુનિ.નું સેન્ટર બંધ

ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના તાજેતરમાં કેટલાક વિવાદ થયા બાદ રાજકોટની કોલેજમાં ચાલતા સેન્ટરને બંધ કરવાનો ટ્રસ્ટીઓએ નિર્ણય લીધો છે. શહેરના સામાકાંઠે આવેલી ઓમ કોલેજના ટ્રસ્ટીઓએ આંબેડકર યુનિ.ના મેનેજમેન્ટને પત્ર લખીને જણાવી દીધું હતું કે, છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓની અનેક ફરિયાદો આવી રહી છે જેનું નિરાકરણ કરવામાં આવતું નહીં હોવાથી આ સેન્ટર તેઓ ચાલુ રાખવા માગતા નથી. રાજકોટની કોલેજનું આંબેડકર યુનિ.નું કેન્દ્ર બંધ કરવા તેમણે શિક્ષણમંત્રીને પણ જાણ કરી છે.

રાજકોટની કોલેજમાં ચાલતા સેન્ટરને બંધ કરવાનો ટ્રસ્ટીઓએ નિર્ણય લીધો
આંબેડકર યુનિ.ને લખેલા પત્રમાં ઓમ કોલેજના ટ્રસ્ટી ડૉ.પરેશ રબારીએ જણાવ્યું છે કે, ઓમ કોલેજ રાજકોટમાં આપની યુનિવર્સિટીનું સેન્ટર આવેલું હતું. લાઈબ્રેરી સાયન્સ અને અન્ય વિષયોમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો અવારનવાર અમારા સુધી આવે છે જે સોલ્વ થતા નથી. આપને ત્યાં પણ ઈ-મેલ ચેક કરશો તો ગુજરાતભરમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓની ફરિયાદ આવેલી દેખાશે, અમારા ટ્રસ્ટી મંડળે સેન્ટરને બંધ કરવા નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે બીજા નજીકના સેન્ટર પર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, ડૉ. આંબેડકર યુનિવર્સિટીમાં તાજેતરમાં જ ડિપ્લોમા હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટરના કોર્સ અને આ યુનિ.ના કુલપતિની પ્રોફેસર તરીકેની ભરતી ગેરકાયદે કરવામાં આવી હોવા મુદ્દે વિવાદ થયો હતો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow