મણિપુરના તોફાનો પાછળ ઉગ્રવાદ હોવાની સીએમની વાત CDS ચૌહાણે ખોટી ઠેરવી

મણિપુરના તોફાનો પાછળ ઉગ્રવાદ હોવાની સીએમની વાત CDS ચૌહાણે ખોટી ઠેરવી

મણિપુરમાં ઉગ્રવાદને કારણે હિંસક તોફાનો ફાટી નીકળ્યાં હોવાની મુખ્યમંત્રીની વાતને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) ખોટી ઠેરવીને રાજ્યની જ બે જાતિ, મૈતેઈ અને કુકી, વચ્ચેના સંઘર્ષનું પરિણામ ગણાવી છે. ચૌહાણે મંગળવારે પૂણેમાં કહ્યું કે તોફાનોને કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો કહી શકાય. તોફાનોને કારણે ઊભા થયેલા પડકારોનો સામનો કરવા માટે થોડો સમય લાગશે. 2020 સુધી મણિપુરમાં સેના તહેનાત હતી પરંતુ પરિસ્થિતિ સુધરવાને કારણે સેનાને ઉત્તરીય (ચીન) સરહદે ખસેડી દેવાઈ હતી.

જ્યારે તેનાથી વિરુદ્ધ બે દિવસ પહેલાં જ મણિપુરના મુખ્યમંત્રી બીરેન સિંહે કહ્યું હતું કે મણિપુરમાં તોફાનોમાં સંડોવાયેલ 40 ઉગ્રવાહીને ઠાર કરાયા છે. બીરેન સિંહે પત્રકાર પરિષદમાં રાજ્યની જનજાતિઓને તોફાન માટે જવાબદાર ઠેરવ્યા હતા. ત્યાર પછી બીરેન સિંહે સ્પષ્ટતા કરવી પડી હતી. મૃતકોને ઉગ્રવાદી કહેવા અને તેમના મૃતદેહો અંગે તંત્ર કોઈ જવાબ આપી શક્યું નહોતું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow