સીબીઆઇએ સીલ કરેલા પીએફના લાંચિયા આસિ. કમિશનરના બંગલાના તાળાં તૂટ્યાં

સીબીઆઇએ સીલ કરેલા પીએફના લાંચિયા આસિ. કમિશનરના બંગલાના તાળાં તૂટ્યાં

રાજકોટની પીએફ કચેરીમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતાં નિરજસીંઘ સામે સીબીઆઇએ લાંચ માગવાનો કેસ નોંધ્યા બાદ રાજકોટ સ્થિત તેના બંગલાને સીલ મારી દીધું હતું. સીલ મારેલા આ બંગલાના તાળાં તૂટતાં ચકચાર મચી ગઇ હતી. તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો કે, મહત્ત્વના દસ્તાવેજો સગેવગે કરવા જાણભેદુની સંડોવણી છે તે તપાસનો મુદ્દો બન્યો હતો.

પીએફ કચેરીમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા નિરજસીંઘે વચેટિયા મારફત લાંચ માગી હતી. સીબીઆઇની ટીમે વચેટિયાને ઝડપી લઇ વચેટિયા અને નિરજસીંઘ સામે ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધાતા જ નિરજસીંઘ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. બાદમાં સામેથી રજૂ થતાં સીબીઆઇએ તેની ધરપકડ કરી હતી.

પીએફના આસિસ્ટન્ટ કમિશનર નિરજસીંઘ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર સ્ટર્લિંગની પાછળ આવેલી ઓસ્કાર રેસિડેન્સીમાં ભાડાના બંગલામાં રહેતા હતા. લાંચ કેસમાં ગુનો નોંધાતા સીબીઆઇની ટીમે તે બંગલાને સીલ મારી દીધું હતું. ગત તા.1ની રાત્રીના તે બંગલાના તાળાં તૂટ્યા હતા. તાળાં તૂટવા અંગે યુનિવર્સિટી પોલીસે બંગલાના માલિક વડોદરા રહેતા પીએફ કચેરીના કર્મચારી વિમલભાઇ મનહરભાઇ ઠક્કરને જાણ કરતા તે રાજકોટ દોડી આવ્યા હતા અને તેમની લેખિત અરજી નોંધી પોલીસે તપાસ શરૂ કરી હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow