CBIએ કેજરીવાલની 9 કલાક પૂછપરછ કરી

CBIએ કેજરીવાલની 9 કલાક પૂછપરછ કરી

લીકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની CBIએ તેમની ઓફિસમાં લગભગ 9.5 કલાક સુધી પૂછપરછ કરી. તેઓ રવિવારે સવારે 11.10 વાગ્યે એજન્સીની ઓફિસે પહોંચ્યા હતા. કેજરીવાલ રાત્રે 8.30 વાગ્યે એજન્સી ઓફિસમાંથી બહાર આવ્યા.

કેજરીવાલનો આરોપ- તેઓ AAPને ખતમ કરવા માગે છે
કેજરીવાલે કહ્યું કે તેમણે CBI દ્વારા પૂછવામાં આવેલા તમામ સવાલોના જવાબ આપ્યા. અમારી પાસે છુપાવવા માટે કંઈ નથી. આ સમગ્ર કથિત લીકર કૌભાંડ બનાવટી અને ગંદી રાજનીતિથી પ્રેરિત છે. AAP એક કટ્ટર ઈમાનદાર પાર્ટી છે. અમે મરી જઈશું પણ પ્રામાણિકતા સાથે ક્યારેય સમજૂતી નહીં કરીએ. તેઓ AAPને ખતમ કરવા માગે છે પરંતુ દેશની જનતા અમારી સાથે છે. તેમણે લગભગ 56 સવાલે પૂછ્યા.

કેજરીવાલની પૂછપરછનો વિરોધ કરી રહેલા AAP ધારાસભ્યોની પોલીસે અટકાયત કરી હતી. તેમને રાત્રે મુક્ત કરવામાં આવ્યા હતા. તમામ લોકો નારા લગાવતા નજફગઢ પોલીસ સ્ટેશનની બહાર આવ્યા હતા.

દિલ્હી સરકારના અનેક મંત્રીઓ, પાર્ટીના સાંસદો અને પંજાબના સીએમ ભગવંત માન CBI ઓફિસમાં કેજરીવાલને છોડવા ગયા હતા. બાદમાં આ નેતાઓએ CBI ઓફિસની બહાર જ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. આ પછી રાઘવ ચઢ્ઢા અને સંજય સિંહ સહિત અનેક નેતાઓની પોલીસે અટકાયત કરી હતી.

બીજી તરફ દિલ્હીના સીએમ કેજરીવાલની સીબીઆઈની પૂછપરછને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના દિલ્હીના કન્વીનર ગોપાલ રાયે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય સચિવ પંકજ ગુપ્તા, દિલ્હીના મેયર શેલી ઓબેરોય અને ડેપ્યુટી મેયર આલે મોહમ્મદ ઈકબાલ પણ હાજર હતા.

Read more

અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

'સૈયારા'એ કમાણીના સંદર્ભમાં ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે અને ફિલ્મ બ્લોકબસ્ટર બની છે. ફિલ્મ બાદ અહાન પાંડે અને અનિત પડ્ડા રાતોરાત

By Gujaratnow
રાજકોટ સેશન્સ કોર્ટે આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કર્યા

રાજકોટ સેશન્સ કોર્ટે આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કર્યા

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કરવામાં આવ્યા છે. કેસ ચાર્જ ફ્રેમ થયા બાદ

By Gujaratnow
૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૫૫૦ થી વધુ ખેડૂતો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્

By Gujaratnow