CBIએ કેજરીવાલની 9 કલાક પૂછપરછ કરી

CBIએ કેજરીવાલની 9 કલાક પૂછપરછ કરી

લીકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની CBIએ તેમની ઓફિસમાં લગભગ 9.5 કલાક સુધી પૂછપરછ કરી. તેઓ રવિવારે સવારે 11.10 વાગ્યે એજન્સીની ઓફિસે પહોંચ્યા હતા. કેજરીવાલ રાત્રે 8.30 વાગ્યે એજન્સી ઓફિસમાંથી બહાર આવ્યા.

કેજરીવાલનો આરોપ- તેઓ AAPને ખતમ કરવા માગે છે
કેજરીવાલે કહ્યું કે તેમણે CBI દ્વારા પૂછવામાં આવેલા તમામ સવાલોના જવાબ આપ્યા. અમારી પાસે છુપાવવા માટે કંઈ નથી. આ સમગ્ર કથિત લીકર કૌભાંડ બનાવટી અને ગંદી રાજનીતિથી પ્રેરિત છે. AAP એક કટ્ટર ઈમાનદાર પાર્ટી છે. અમે મરી જઈશું પણ પ્રામાણિકતા સાથે ક્યારેય સમજૂતી નહીં કરીએ. તેઓ AAPને ખતમ કરવા માગે છે પરંતુ દેશની જનતા અમારી સાથે છે. તેમણે લગભગ 56 સવાલે પૂછ્યા.

કેજરીવાલની પૂછપરછનો વિરોધ કરી રહેલા AAP ધારાસભ્યોની પોલીસે અટકાયત કરી હતી. તેમને રાત્રે મુક્ત કરવામાં આવ્યા હતા. તમામ લોકો નારા લગાવતા નજફગઢ પોલીસ સ્ટેશનની બહાર આવ્યા હતા.

દિલ્હી સરકારના અનેક મંત્રીઓ, પાર્ટીના સાંસદો અને પંજાબના સીએમ ભગવંત માન CBI ઓફિસમાં કેજરીવાલને છોડવા ગયા હતા. બાદમાં આ નેતાઓએ CBI ઓફિસની બહાર જ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. આ પછી રાઘવ ચઢ્ઢા અને સંજય સિંહ સહિત અનેક નેતાઓની પોલીસે અટકાયત કરી હતી.

બીજી તરફ દિલ્હીના સીએમ કેજરીવાલની સીબીઆઈની પૂછપરછને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના દિલ્હીના કન્વીનર ગોપાલ રાયે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય સચિવ પંકજ ગુપ્તા, દિલ્હીના મેયર શેલી ઓબેરોય અને ડેપ્યુટી મેયર આલે મોહમ્મદ ઈકબાલ પણ હાજર હતા.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow