CBIએ કેજરીવાલની 9 કલાક પૂછપરછ કરી

CBIએ કેજરીવાલની 9 કલાક પૂછપરછ કરી

લીકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની CBIએ તેમની ઓફિસમાં લગભગ 9.5 કલાક સુધી પૂછપરછ કરી. તેઓ રવિવારે સવારે 11.10 વાગ્યે એજન્સીની ઓફિસે પહોંચ્યા હતા. કેજરીવાલ રાત્રે 8.30 વાગ્યે એજન્સી ઓફિસમાંથી બહાર આવ્યા.

કેજરીવાલનો આરોપ- તેઓ AAPને ખતમ કરવા માગે છે
કેજરીવાલે કહ્યું કે તેમણે CBI દ્વારા પૂછવામાં આવેલા તમામ સવાલોના જવાબ આપ્યા. અમારી પાસે છુપાવવા માટે કંઈ નથી. આ સમગ્ર કથિત લીકર કૌભાંડ બનાવટી અને ગંદી રાજનીતિથી પ્રેરિત છે. AAP એક કટ્ટર ઈમાનદાર પાર્ટી છે. અમે મરી જઈશું પણ પ્રામાણિકતા સાથે ક્યારેય સમજૂતી નહીં કરીએ. તેઓ AAPને ખતમ કરવા માગે છે પરંતુ દેશની જનતા અમારી સાથે છે. તેમણે લગભગ 56 સવાલે પૂછ્યા.

કેજરીવાલની પૂછપરછનો વિરોધ કરી રહેલા AAP ધારાસભ્યોની પોલીસે અટકાયત કરી હતી. તેમને રાત્રે મુક્ત કરવામાં આવ્યા હતા. તમામ લોકો નારા લગાવતા નજફગઢ પોલીસ સ્ટેશનની બહાર આવ્યા હતા.

દિલ્હી સરકારના અનેક મંત્રીઓ, પાર્ટીના સાંસદો અને પંજાબના સીએમ ભગવંત માન CBI ઓફિસમાં કેજરીવાલને છોડવા ગયા હતા. બાદમાં આ નેતાઓએ CBI ઓફિસની બહાર જ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. આ પછી રાઘવ ચઢ્ઢા અને સંજય સિંહ સહિત અનેક નેતાઓની પોલીસે અટકાયત કરી હતી.

બીજી તરફ દિલ્હીના સીએમ કેજરીવાલની સીબીઆઈની પૂછપરછને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના દિલ્હીના કન્વીનર ગોપાલ રાયે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય સચિવ પંકજ ગુપ્તા, દિલ્હીના મેયર શેલી ઓબેરોય અને ડેપ્યુટી મેયર આલે મોહમ્મદ ઈકબાલ પણ હાજર હતા.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow