રાજ્યમાં અશ્વદળની ભરતી માટે કેમ્પ યોજાયા

રાજ્યમાં અશ્વદળની ભરતી માટે કેમ્પ યોજાયા

પોલીસ વિભાગમાં અશ્વદળનું મહત્વ ખૂબ જ છે. સીમ રક્ષણ હોય કે પછી વીઆઈપી બંદોબસ્ત કે પછી કોઈ અધિકારીઓના સન્માનમાં, અશ્વ પોલીસ દળનો ઉપયોગ થતો હોય છે. આણંદમાં ઘોડેસવારી શીખવા માટે ક્લબ પણ ચલાવવામાં આવે છે.

રાજ્યમાં અલગ-અલગ વિસ્તારમાં દસ કેમ્પનું આયોજન
સમગ્ર રાજ્યમાં કુલ 758 મંજૂર મહેકમ પૈકી 296 જગ્યાઓ અલગ-અલગ જિલ્લામાં ખાલી છે. ત્યારે એક માસ અગાઉ કુલ 72 જગ્યાઓ પર અશ્વની ભરતી કરવા માટે સમગ્ર રાજ્યમાં અલગ-અલગ વિસ્તારમાં દસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર, સારંગપુર, ભાવનગર, અમરેલી, ગોંડલ, પાલનપુર, ભૂજ, જામનગર, અમદાવાદ અને છેલ્લો કેમ્પ આણંદમાં કરવામાં આવ્યો હતો.

25 અશ્વની પસંદગી હજુ બાકી
​​​​​​​અત્યાર સુધીમાં કુલ 47 અશ્વની પસંદગી થઈ હતી, જ્યારે 25 અશ્વની પસંદગી હજુ બાકી છે. આણંદ શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે નવ કલાકે યોજાયેલા કેમ્પમાં બોટાદ, બરવાળા, અને આણંદ જિલ્લામાંથી મળી કુલ 6 અશ્વમાલિકો હાજર રહ્યા હતા. પોલીસ વિભાગમાં થોરો, અરબી, કાઠિયાવાડી અને મારવાડી અશ્વની પસંદગી કરવામાં આવે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow