કેનેડા સરકારની લોકોને સલાહ- સપ્તાહમાં બેથી વધુ ડ્રિન્ક્સ ન લો, નહીં તો કેન્સર-હાર્ટ એટેકનો ખતરો

કેનેડા સરકારની લોકોને સલાહ- સપ્તાહમાં બેથી વધુ ડ્રિન્ક્સ ન લો, નહીં તો કેન્સર-હાર્ટ એટેકનો ખતરો

કેનેડામાં આલ્કોહોલના સેવનને લઇને નવી ચર્ચા છેડાઇ ગઇ છે. કારણ કે અહીં મોટા ભાગના લોકો નિયમિત રીતે આલ્કોહોલ અથવા તો શરાબનું સેવન કરે છે. આવી સ્થિતિમાં સરકારે નવી ગાઇડલાઇન જારી કરીને નાગરિકોને સપ્તાહમાં આલ્કોહોલનું માત્ર બે વખત ડ્રિન્ક્સ લેવા માટેની સલાહ આપી છે. કેનેડિયન સેન્ટર ઓન સબસ્ટેન્સ યુઝ એન્ડ એડિક્શન ( સીસીએસએ) દ્વારા સપ્તાહમાં આલ્કોહોલના સેવનને ઘટાડી દેવાની અપીલ કરીને ચેતવણી આપી છે કે, આલ્કોહોલના વધારે પડતા સેવનથી કેન્સર, હાર્ટ એટેક અને સ્ટ્રોક સહિત અનેક પ્રકારની ગંભીર બીમારીઓ થઇ શકે છે.

અમેરિકામાં આરોગ્ય વિભાગ પુરુષો માટે સપ્તાહમાં બે વખત ડ્રિન્ક અને મહિલાઓ માટે એક ડ્રિન્ક લેવાની સલાહ આપે છે. જોકે કેનેડાના નિષ્ણાતો દ્વારા કરાયેલી નવી શોધમાં ખુલાસો કરાયો છે કે, 3-6 ડ્રિન્કથી મોડરેટ અને સાત અથવા તો વધારે ડ્રિન્ક્સથી જોખમ સતત વધે છે. આના કારણે મોટા આંતરડા અને કેન્સરની સાથે અન્ય બીમારીનું જોખમ વધી જાય છે અને હાર્ટ એટેક, સ્ટ્રોકનું ખતરો પણ વધે છે.

ગાઇડલાઇન મુજબ, સગર્ભા મહિલાઓને તો આલ્કોહોલના થોડાક સેવનથી પણ વધુ નુકસાન થાય છે. સ્તનપાન કરાવતી મહિલાઓ માટે તો આલ્કોહોલથી દૂર કરવાનો વિકલ્પ સૌથી સુરક્ષિત છે. હેલ્થ કેનેડાની નવેસરની ગાઇડલાઇન વર્ષ 2011માં જારી ગાઇડલાઇન કરતાં અલગ પ્રકારની છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow