ચાલતી ટ્રેનની બારીમાંથી આવ્યું મોત..! બારી પાસે બેઠેલા વ્યક્તિના માથામાં લોખંડનો સળીયો ઘૂસી ગયો… કઠણ કાળજા વાળા લોકો જ વાંચજો…

ચાલતી ટ્રેનની બારીમાંથી આવ્યું મોત..! બારી પાસે બેઠેલા વ્યક્તિના માથામાં લોખંડનો સળીયો ઘૂસી ગયો… કઠણ કાળજા વાળા લોકો જ વાંચજો…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ટ્રેનમાં શાંતિથી બેસીને મુસાફરી કરી રહેલા એક વ્યક્તિ સાથે કંઈક એવું બન્યું કે કોઈ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. આ ચોક આવનારી ઘટના નીલાંચલ એક્સપ્રેસમાં બની હતી. અહીં ટ્રેનમાં મારી પાસે બેસીને મુસાફરી કરી રહેલા એક વ્યક્તિના માથામાં અચાનક જ ઉછળીને આવેલો લોખંડનો સળીયો ઘૂસી ગયો હતો.

મળતી માહિતી અનુસાર પાટા ઉપર પડેલો લોખંડનો સળિયો ઉછળીને બારીમાંથી અંદર આવ્યો હતો અને મારી પાસે બેસીને મુસાફરી કરી રહેલા યુવકના માથામાં ઘૂસી ગયો હતો. આ કારણોસર યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટના બનતા આજે ચાલતી ટ્રેનમાં ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. બળતી માહિતી અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે ટ્રેનની સ્પીડ 110 કિમી/કલાકની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ ઘટના બનતા જ ટ્રેનમાં યુવકના મોતની ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી. અચાનક યુવક સાથે શું થયું તે ટ્રેનમાં હાજર લોકોને કાંઈ સમજાતું ન હતું. આ ઘટના બનતા જ અન્ય પ્રવાસીઓએ ટ્રેનની ચેન ખેંચી લીધી હતી અને ટ્રેનને ઉભી રાખી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ GRP અને RPFને કરવામાં આવી હતી. પછી મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું.

આ ઘટના ઉત્તર પ્રદેશના અલીગઢમાં બની હતી. આ ઘટનામાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલા હરિકેશ ડુબે નામના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે સુલતાનપુરના ગોપીનાથપુરા ગામનો રહેવાસી છે. ગુરૂવારના રોજ તે પોતાના ઘરે જવા માટે દિલ્હીથી સુલતાનપુરા જતી ટ્રેનમાં બેઠો હતો. ટ્રેન જ્યારે અલીગઢમાં હતી ત્યારે આ સમગ્ર ઘટના બની હતી.

આ ઘટનામાં હરી કેસની બાજુમાં બેઠેલી મહિલા માંડ માંડ બચી હતી. મળતી માહિતી અનુસાર હરિકેશ બારી પાસે બેઠો હતો. તેની બાજુમાં બેઠેલી મહિલાએ જણાવ્યું કે ટ્રેન ખૂબ જ સ્પીડમાં હતી. ત્યારે અચાનક જ તેની બાજુમાં બેઠેલા વ્યક્તિના માથામાં લોખંડનો સળીયો ઘૂસી ગયો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં પહોંચી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે રેલવે ટ્રેક પર એક લોખંડનો સળિયો પડેલો હતો. જ્યારે ટ્રેન ત્યાંથી પસાર થાય છે ત્યારે ત્યાંથી ઉછળીને ટ્રેનની બારી પાસે બેઠેલા વ્યક્તિના માથામાં ઘૂસી જાય છે અને તે વ્યક્તિનું ઘટના સ્થળે મોત થાય છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow