Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
Rajkot crime

CAએ કારખાનેદારનું ખાતું વેચી નાખ્યું, કરોડો રૂપિયા જમા થતાં ભાંડાફોડ

Gujaratnow1 min read
CAએ કારખાનેદારનું ખાતું વેચી નાખ્યું, કરોડો રૂપિયા જમા થતાં ભાંડાફોડ

શહેરમાં અગરબત્તીનું કારખાનું ધરાવતા કારખાનેદારને ત્યાં પાંચ વર્ષથી નોકરી કરતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કારખાનેદારનું બેંક એકાઉન્ટ બારોબાર વેચી નાખ્યું હતું, વેચાયેલા એકાઉન્ટમાં ફ્રોડના કરોડો રૂપિયા જમા થતાં અને કર્ણાટકના બાલાપુરથી નોટિસ મળતાં કૌભાંડનો ભાંડાફોડ થયો હતો, પોલીસે સીએ સહિત બેની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

કોઠારિયા રોડ પરની રામેશ્વર ગોલ્ડ સોસાયટીમાં રહેતા અને લોઠડામાં નર્મદા અગરબત્તી નામે કારખાનું ધરાવતાં કૃપાલીબેન શરદભાઇ ચોથાણી (ઉ.વ.23)એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશ્વિન બટુક હિરપરા અને રાજકોટના અરજણ વિઠ્ઠલ આસોદરિયાના નામ આપ્યા હતા, કૃપાલીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે અગરબત્તીનું કારખાનું ચલાવે છે તેમના પતિના નામે પણ કુબેરજી અગરબતી નામનું કારખાનું છે અને તેમના બંને કારખાનામાં અશ્વિન હિરપરા સીએ તરીકે કામ કરે છે. ગત તા.1 ઓગસ્ટના તેમના પતિ શરદભાઇ ચોથાણીએ નર્મદા અગબરત્તીના નામે આઇસીઆઇસીઆઇ બેંકનું ખાતું ખોલાવ્યું હતું,

Gujaratnow1 min read

Related News