આ રત્નો ધારણ કરવાથી ચમકી ઉઠશે કિસ્મત, જીવનમાં ખુલી જશે ભાગ્ય

આ રત્નો ધારણ કરવાથી ચમકી ઉઠશે કિસ્મત, જીવનમાં ખુલી જશે ભાગ્ય

જ્યોતિષની જેમ માનવ જીવનમાં રત્નોનું પણ ખૂબ મહત્વ છે. રત્નો ધારણ કરવાથી નબળા ગ્રહોની અસરથી બચી શકાય છે. આ સાથે કેટલાક રત્નો એવા પણ હોય છે જેને ધારણ કર્યા બાદ નસીબ ચમકે છે. જો કે રત્ન હંમેશા જ્ઞાની વ્યક્તિની સલાહ બાદ જ પહેરવા જોઈએ. જો તમે આવું ન કરો તો વિપરીત અસર પણ થઇ શકે છે. આજે અમે કેટલાક એવા રત્નો વિશે જણાવીશું, જેને ધારણ કર્યા બાદ ભાગ્ય ખુલી જાય છે અને વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય છે.

ટાઇગર સ્ટોન
ટાયગર સ્ટોન પહેરવાથી આત્મવિશ્વાસ વધે છે. તેને પહેર્યા બાદ બિઝનેસ કરનારાઓને ઘણો ફાયદો મળે છે. ખોટમાં ચાલતા વેપારમાં વધારો થવા લાગે છે. આ રત્ન આર્થિક સંકડામણને દૂર કરે છે. તેનાથી માનસિક તણાવ ઓછો થાય છે અને વ્યક્તિને ભાગ્ય ચમકવા લાગે છે.‌

પુખરાજ
પુખરાજને દેવગુરુ બૃહસ્પતિનું રત્ન માનવામાં આવે છે. તેને પહેરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. આ સાથે બુદ્ધિ પણ તેજ હોય છે. જો કોઈ વ્યક્તિ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હોય તો આ રત્ન ધારણ કરવાથી ઘણો લાભ મળે છે અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.

જેડ સ્ટોન
જેડ સ્ટોનને હરિતાષ્મા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને ધારણ કર્યા બાદ વ્યક્તિના જીવનમાં ખુશાલી આવે છે. નોકરી-ધંધામાં પ્રગતિના નવા રસ્તા ખુલે. આવકના નવા સ્ત્રોત મળે છે. જેડ સ્ટોન પહેરવાથી કિડનીની સમસ્યા, હૃદયને લગતી સમસ્યાઓમાં રાહત મળે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ સારી રહે છે.

પન્ના(નીલમણી)
નીલમણિ રત્ન બુધ ગ્રહ સાથે સંબંધિત છે. તેને ધારણ કર્યા પછી આવકના નવા સ્ત્રોત ખુલે છે અને ધનમાં વધારો થાય છે. તે એક એવો રત્ન માનવામાં આવે છે જે ઇચ્છાઓ પૂર્ણ કરે છે. પન્ના ધારણ કર્યા બાદ નોકરી-ધંધામાં સફળતા મળે છે. બિઝનેસ વધે અને નવી નોકરીની તકો મળે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow