ડુંગળી-ટામેટાં સહિત આ 7 વસ્તુઓ ખાવાથી મજબૂત થાય છે શરીરની નસો, તેજીથી થાય છે બ્લડ સર્ક્યુલેશન

ડુંગળી-ટામેટાં સહિત આ 7 વસ્તુઓ ખાવાથી મજબૂત થાય છે શરીરની નસો, તેજીથી થાય છે બ્લડ સર્ક્યુલેશન

રક્તવાહિકાઓ શરીરમાં લોહી, ઓક્સિજન અને પોષકતત્ત્વોને પહોંચાડવાનું કામ કરે છે. ઉંમર વધવાની સાથે રક્તવાહિકાઓ નબળી પડવા લાગે છે. આ કારણોસર શરીરમાં યોગ્ય પ્રકારે લોહીનો સંચાર થઈ શકતો નથી. જેથી શરીર અનેક બીમારીઓનો ભોગ બને છે. શરીરની રક્તવાહિકાઓ મજબૂત થઈ શકે તે માટે અનેક વસ્તુઓ છે. આ તમામ વસ્તુઓ વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

રક્તવાહિકાઓને મજબૂત કરતી વસ્તુઓ

બેરીઝ

બેરીઝ એન્ટીઓક્સિડન્સથી ભરપૂર હોય છે. બેરીઝમાં રહેલ એન્થોસાયનીનને કારણે રક્તવાહિકાઓ યોગ્ય પ્રકારે કામ કરી શકે છે. બ્લૂબેરી, સ્ટ્રોબેરી અને બ્લેકબેરીમાં સૌથી વધુ માત્રામાં એન્થોસાયનીન હોય છે.

ભાજી

પાલક, કેળ જેવી ભાજીઓમાં ભરપૂર માત્રામાં નાઈટ્રેટ રહેલું હોય છે. જેનાથી લોહીનો સંચાર યોગ્ય પ્રકારે થાય છે અને બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે. ભાજીમાં સૌથી વધુ વિટામિન કે રહેલું હોય છે, જેનાથી ધમનીઓ યોગ્ય પ્રકારે કામ કરી શકે છે.

એવોકાડો

એવોકાડોમાં ભરપૂર માત્રામાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ રહેલ છે, જેનાથી રક્તવાહિકાઓ યોગ્ય પ્રકારે કામ કરી શકે છે અને સોજો ઓછો કરવામાં પણ મદદ કરે છે. એવોકાડોમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ રહેલું હોય છે, જેનાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે

અનાજ

બ્રાઉન રાઈસ અને ઘઉથી બનતી બ્રેડમાં સૌથી વધુ માત્રામાં ફાઇબર હોય છે. જેનાથી કોલસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે અને રક્તવાહિકાઓ યોગ્ય પ્રકારે કામ કરી શકે છે. અનાજમાં વિટામીન બી રહેલું હોય છે, જેનાથી ધમનીઓ યોગ્ય પ્રકારે કામ કરી શકે છે.

ડુંગળી

ડુંગળીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. ડુંગળીમાં એન્ટિઓક્સિડન્ટની સાથે સાથે એન્ટીઇન્ફ્લામેન્ટરી ગુણ પણ રહેલા છે, જેનાથી નસ અને ધમનીઓમાં સોજો આવતો નથી.

હળદર

પૌરાણિક સમયથી હળદરનો સારવાર માટે ઉપયોગ કરવામાં આવે છે. હળદરનું સેવન કરવાથી રક્તવાહિકાઓ સંકોચાતી નથી અને લોહીનો સંચાર પણ યોગ્ય પ્રકારે થાય છે.

ટામેટા

ટામેટામાં ભરપૂર માત્રામાં લાયકોપીન નામનું એન્ટીઓક્સિડન્ટ હોય છે. આ એન્ટીઓક્સિડન્ટના કારણે રક્તવાહિકાઓ યોગ્ય પ્રકારે કામ કરી શકે છે અને સોજો પણ ઓછો થાય છે. ટામેટામાં રહેલ વિટામિન ‘સી’ને કારણે આર્ટરિઝની સમસ્યાથી રાહત મળે છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow