ઇક્વિટી માર્કેટના મજબૂત ગ્રોથથી 2028 સુધીમાં દેશની 17 ટકા વસ્તી પાસે ડીમેટ એકાઉન્ટ હશે

ઇક્વિટી માર્કેટના મજબૂત ગ્રોથથી 2028 સુધીમાં દેશની 17 ટકા વસ્તી પાસે ડીમેટ એકાઉન્ટ હશે

દેશમાં શેરબજારમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા દર વર્ષે વધી રહી છે. તેના કારણે ડીમેટ ખાતાઓમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. કોરોના મહામારી એટલે કે માર્ચ 2020માં 4.1 કરોડ ડીમેટ ખાતા હતા, જે જુલાઈ 2023માં 200% વધીને 12.3 કરોડ થઈ ગયા. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલના ચેરમેન રામદેવ અગ્રવાલનો અંદાજ છે કે 2028 સુધીમાં દેશમાં ડીમેટ ખાતા બમણા થઈને લગભગ 25 કરોડ થઈ જશે.

આ મુજબ આગામી 5 વર્ષમાં દેશની લગભગ 17% વસ્તી પાસે ડીમેટ એકાઉન્ટ હશે.ટેક્નોલોજીના સમયમાં ડિજિટલને વેગ મળી રહ્યો છે જેના કારણે રોકાણકારો માટે રોકાણના અનેક નવા વિકલ્પ સામે આવ્યા છે. કોરોના મહામારી બાદ ઇક્વિટી માર્કેટ પ્રત્યે રોકાણકારોનો ક્રેઝ વધુ વધ્યો હતો. સીધા ઇક્વિટીના બદલે અનેક રોકાણકારો આઇપીઓ દ્વારા આ સેક્ટરમાં રોકાણનો વિકલ્પ અપનાવવાનું શરૂ કર્યું હતું અને છેલ્લા બે વર્ષમાં એસએમઇ અને મેઇન બોર્ડમાં અનેક કંપનીઓ આઇપીઓ યોજી વિસ્તરણ સાથે રોકાણકારોને સારી કમાણીનું માધ્યમ પુરૂ પાડી રહી છે.

મોતીલાલ ઓસ્વાલ વાર્ષિક વૈશ્વિક અહેવાલમાં અગ્રવાલે જણાવ્યું હતું કે ભારતીયોની બચતમાં થયેલા વધારાથી રિટેલ ઈક્વિટી માર્કેટને ફાયદો થઈ રહ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી 25 વર્ષમાં દેશની કુલ સ્થાનિક બચત રૂ.8,500 લાખ કરોડને વટાવી જશે. જે છેલ્લા 25 વર્ષમાં તે 998 લાખ કરોડ રૂપિયા રહી છે. અગ્રવાલના જણાવ્યા અનુસાર માર્ચ 2020માં SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) દ્વારા દર મહિને દેશમાં રૂ. 8,600 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.જે જુલાઈ 2023માં તે 77% વધીને 15.2 કરોડ થઈ ગયું છે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow