બ્રિટિશ મીડિયાનો દાવો- ખાલિસ્તાનીઓ પર કોઈ કાર્યવાહી ન થતાં મોદી સરકાર નારાજ

બ્રિટિશ મીડિયાનો દાવો- ખાલિસ્તાનીઓ પર કોઈ કાર્યવાહી ન થતાં મોદી સરકાર નારાજ

બ્રિટનના એક અખબારે દાવો કર્યો છે કે ગત મહિને લંડનમાં તેના હાઈ કમિશનમાં ખાલિસ્તાનીઓના પ્રદર્શનથી ભારત સખત નારાજ છે. આ અહેવાલ મુજબ નરેન્દ્ર મોદી સરકારે ખાલિસ્તાનીઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરવાના વિરોધમાં બ્રિટન સાથેના વેપાર સંબંધો પરની વાતચીતને સ્થગિત કરી દીધી છે. આ બેઠક આગામી 24 એપ્રિલના રોજ યોજાવાની છે.

બીજી તરફ નવી દિલ્હીમાં ભારતના વિદેશ મંત્રાલયે બ્રિટિશ મીડિયાના અહેવાલને પાયાવિહોણા ગણાવ્યા છે. ભારતે કહ્યું- આ મહિનાના અંતમાં યોજાનારી વાતચીત શિડ્યુલ મુજબ થશે.

ખાલિસ્તાન સમર્થકોએ 19 માર્ચે લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર વિરોધ દર્શાવ્યો હતું. આ દરમિયાન કમિશન પરના અમારા તિરંગાને હટાવી દેવામાં આવ્યો હતો અને બિલ્ડિંગમાં તોડફોડ કરી હતી. આ મુદ્દે બંને દેશોના સંબંધોમાં પણ ખટાશ જોવા મળી હતી.

બ્રિટિશ અખબાર 'ધ ટાઈમ્સ યુકે' દ્વારા સોમવારે જાહેર કરાયેલા અહેવાલમાં કહ્યું છે કે - ભારતે બ્રિટિશ સરકાર સાથેના વેપાર સંબંધો પરની વાતચીતને હાલમાં સ્થગિત કરી દીધી છે. ભારત ઈચ્છે છે કે ઋષિ સુનક સરકાર આ હુમલાની માત્ર નિંદા જ નહીં, પરંતુ વિરોધમાં સામેલ લોકો સામે કાર્યવાહી પણ કરે. હવે બ્રિટન પર ખાલિસ્તાન સમર્થકો સામે કડક કાર્યવાહી કરવાનું દબાણ છે.

રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે- તાજેતરમાં બે ઘટનાઓને કારણે ભારત અને બ્રિટનના સંબંધોમાં કડવાશ આવી છે. પ્રથમ- બીબીસીએ વડાપ્રધાન મોદી પર એક વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી રિલીઝ કરી. આ પછી, આવકવેરા વિભાગે નવી દિલ્હીમાં તેમની ઓફિસ પર કાર્યવાહી કરી. બીજું- ખાલિસ્તાનીઓએ પ્રદર્શન કર્યું અને લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં તોડફોડ કરી. ત્યાં તિરંગો હટાવ્યો. જો કે, બાદમાં સ્ટાફે ત્યાં પહેલા કરતા મોટો તિરંગો ફરકાવ્યો હતો.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow