2008 અને 2020 વચ્ચે બ્રિટનની પ્રોડક્ટિવિટીમાં 0.5% ઘટાડો

2008 અને 2020 વચ્ચે બ્રિટનની પ્રોડક્ટિવિટીમાં 0.5% ઘટાડો

આપણને વારંવાર કહેવામાં આવે છે કે આપણે ટેકનોલોજીની ક્રાંતી વચ્ચે જીવી રહ્યા છીએ. વ્યવસાય અને કામ કરવાની રીતો સતત બદલાતી રહી છે અને સુધરી રહી છે. કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ જેવી સતત આગળ વધતી ટેકનોલોજીએ કોમ્યુનિકેશન અને ડેટા પ્રોસેસીંગની ઝડપ વધારી છે.પછી રોબોટિક્સ આવ્યું અને હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રીને બદલી નાખશે. જોકે આ બધામાં એક સમસ્યા છે, જે આર્થિક ડેટામાં દેખાતી નથી. આ તમામ ટેક્નોલોજી વાસ્તવમાં આપણા કામને વધુ ઝડપી અને ઉત્તમ બનાવી રહી છે તેના બહુ ઓછા પુરાવા છે.

જો આપણે વિકસિત દેશોમાં બ્રિટન વિશે વાત કરીએ તો 1974 થી 2008 સુધીમાં તેની ઉત્પાદકતા એટલે કે કામદાર દીઠ ઉત્પાદન વાર્ષિક 2.3% વધ્યું. પરંતુ 2008 અને 2020 ની વચ્ચે ઉત્પાદકતામાં વધારો થવાને બદલે વાર્ષિક ધોરણે 0.5% નો ઘટાડો જોવા મળ્યો હતો. વધુ શું છે આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં બ્રિટનની ઉત્પાદકતા ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 0.6% ઘટી છે. અન્ય ઘણા પશ્ચિમી દેશોમાં પણ આવી જ સ્થિતિ છે.યુ.એસ.માં 1995 થી 2005 દરમિયાન ઉત્પાદકતા વૃદ્ધિ વાર્ષિક 3.1% હતી. પરંતુ 2005 અને 2019 ની વચ્ચે તે ઘટીને 1.4% થઈ ગઇ છે.

એકંદરે, આપણે ઇનોવેશન અને ટેક્નોલોજીની પ્રગતિના મહાન યુગમાંથી પસાર થઈ રહ્યા છીએ, પરંતુ ઉત્પાદકતાની ગતિ ધીમી પડી રહી છે. તમે આ સ્પષ્ટ વિરોધાભાસને કેવી રીતે સમજાવશો? શું આપણે કામ ટાળવા માટે જ ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ? ઉદાહરણ તરીકે, વોટ્સએપ પર મિત્રોને સતત સંદેશા મોકલવા, યુટ્યુબ પર વિડિયો જોવું, ટ્વિટર પર દલીલ કરવી અથવા ઈન્ટરનેટ સર્ફિંગ કરવું. આની પાછળ બીજું કોઈ મોટું કારણ હોય તેવી પણ શક્યતા છે.જો કે, ઉત્પાદકતા પર નજીકથી નજર રાખનારા એનાલિસ્ટોના મતે, આ માટે બે મુખ્ય સ્પષ્ટતા હોઈ શકે છે. પહેલું એ છે કે આપણે ટેક્નોલોજીની અસરને યોગ્ય રીતે માપી શકતા નથી.

Read more

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow
સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે (31

By Gujaratnow